યુવરાજસિંહનો હુંકાર, ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડ થયું છે તે મેં પૂરવાર કર્યું
યુવરાજસિંહે કહ્યું કે આ કૌભાંડ જડમૂળમાંથી દૂર કરવાની જરૂર છે. જ્યારે વિદ્યાર્થીઓના ભાવિ માટે પગલાં લેવા જરૂરી છે.
ગુજરાતના(Gujarat)ઉર્જા વિભાગમાં(Energy Department)કૌભાંડ(Scam)પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે(Yuvrajsinh) આરોપ મૂક્યો છે કે ભરતીમાં કૌભાંડ(Recruitment Scam) થયું છે તે મેં પૂરવાર કર્યું છે. તેમજ યુવરાજસિંહે કહ્યું કે આ કૌભાંડ જડમૂળમાંથી દૂર કરવાની જરૂર છે. જ્યારે વિદ્યાર્થીઓના ભાવિ માટે પગલાં લેવા જરૂરી છે.
તેમજ મે ઉર્જા વિભાગમાં અધિકારીઓને કૌભાંડના આધાર પૂરાવા આપ્યા છે. તેમજ સરકારે આવા કૌભાંડીઓને છાવરવા ન જોઇએ. તેમજ સરકારે આ મુદ્દે કડક એક્શન લઇને કૌભાંડીઓને જેલના સળીયા પાછળ ધકેલવા જોઇએ. તેમજ રાજ્યના ભૂતકાળમાં અહીંથી જ પેપરો ફૂટ્યા છે. તેવા સમયે આ મુદ્દે વધુ ગંભીરતા દાખવીને આવા કૌભાંડને ઉગતા જ ડામવાની જરૂરિયાત છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષામાં ભરતી કૌભાંડની સ્યાહી હજુ સુકાઈ નથી. ત્યાં ઉર્જા વિભાગની ભરતીઓને લઈ નવા આક્ષેપ થયા છે. આ મુદ્દે કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારે કહ્યું કે ગુજરાતના લાખો બેરોજગાર યુવાનોની મશ્કરી સરકારે બંધ કરવી જોઈએ. કૌભાંડમાં દર વખતે નાની માછલીઓ પકડાય છે અને મોટા માથા બચી જાય છે.
ત્યારે સરકારે જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવા જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યની ભાજપ સરકારના આ પ્રકારના સમાચારનું કોઇ મહત્વ રહ્યું નથી. તેમજ આવા કૌભાંડ હવામાન વિભાગની આગાહી જેવા બની ગયા છે જે દરરોજ જોવા મળે છે.
આ ઉપરાંત આજે રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી આજે બેકફૂટ પર જોવા મળ્યા હતા. જેમાં તેમણે વિપક્ષ પર કોઇ આક્ષેપ કરવાના બદલે તેમની સરકારમાં આ પ્રકારના ભ્રષરકહર નો સ્વીકાર કર્યો હતો. તેમજ દર વખતે જ્યારે યુવરાજની સિંહ કૌભાંડ લાગે ત્યારે પહેલા ના પાડે અને ત્યાર બાદ તપાસ કરવી પડે છે. તેના બદલે આ વખતે વાતને સ્વીકારીને તપાસના આદેશ આપ્યા છે.
આ પણ વાંચો : ગુજરાતનો આ જિલ્લો કોરોના મુક્ત , 204 દિવસમાં એક પણ કેસ નહિ
આ પણ વાંચો : Ahmedabad: નારોલ સ્ટોન કિલિંગની ઘટનામાં પોલીસે કરી સ્ટોન કીલરની ધરપકડ, જાણો સમગ્ર મામલો