Ahmedabad Video : તિરંગાયાત્રાનું ગૃહમંત્રી અમિત શાહ કરાવશે ફ્લેગ ઓફ, મોટી સંખ્યામાં જોડાશે લોકો

|

Aug 13, 2024 | 12:01 PM

અમદાવાદમાં આજે આયોજીત તિરંગા યાત્રાને અમિત શાહ ફ્લેગ ઓફ કરાવશે.અમિત શાહ સાથે CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત નેતાઓ હાજરી આપશે. તેમજ BSF, ઘોડા પોલીસ, પોલીસ સહિત અનેક એજન્સીઓ તિરંગા યાત્રામાં જોડાશે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદમાં આજે આયોજીત તિરંગા યાત્રાને અમિત શાહ ફ્લેગ ઓફ કરાવશે.અમિત શાહ સાથે CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત નેતાઓ હાજરી આપશે. તેમજ BSF, ઘોડા પોલીસ, પોલીસ સહિત અનેક એજન્સીઓ તિરંગા યાત્રામાં જોડાશે.

તિરંગાયાત્રાના પગલે શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત છે. તિરંગાયાત્રા આજે સાંજે 4 કલાકે કેસરી નંદન ચોક વિરાટનગરથી શરુ થશે. જો તિરંગાયાત્રાના રુટની વાત કરીએ તો કેસરીનંદન ચોક, બેટી બચાવો સર્કલ, ઉત્તમનગર ખોડીયાર મંદિર, કોઠીયા હોસ્પિટલ, જીવણવાડી સર્કલ,ખોડીયાર મંદિર સહિતના વિસ્તારમાંથી તિરંગા યાત્રા યોજાવવાની છે.

બીજી તરફ ગઈકાલે વડોદરામાં યોજાયેલી તિરંગાયાત્રામાં ગૃહ સંઘવી હર્ષ સંઘવીએ સંબોધનમાં અમદાવાદ તિરંગાયાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું હતુ કે અમદાવાદની તિરંગા યાત્રા એટલી વિશાળ હશે તે યાત્રાના તમામ રેકોર્ડ તુટી જશે.

 

Next Video