Gujarati Video: બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આવતીકાલે મા અંબાના કરશે દર્શન, અમદાવાદથી હેલિકોપ્ટર દ્વારા પહોંચશે દાંતા હેલિપેડ

Banaskantha: બાબા બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી આવતીકાલે મા અંબાના દર્શનાર્થે જશે. સવારે 11.30 આસપાસ તેઓ દાંતા પહોંચશે. ત્યાંથી રોડ માર્ગે અંબાજી પહોંચશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 11:58 PM

બાબા બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી આજે પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીની મુલાકાત લેશે. અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે ધીરેન્દ્ર શાસ્ત્રી સવારે 11.30 કલાકે દાંતા હેલિપેડ પર ઉતરશે. જ્યાંથી રોડ માર્ગે અંબાજી પહોંચશે. ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજી ધામમાં માતાજીના દર્શન અને પૂજન કરશે અને અંબાજી માતાજીની આરતીનો પણ ધીરેન્દ્ર શાસ્ત્રી લ્હાવો લેશે. માતા અંબાજીના દર્શન કરીને ધીરેન્દ્ર શાસ્ત્રી ઈસ્કોન અંબેવેલીમાં વિશ્રામ કરશે.

આ પણ વાંચો :Vadodara: 3 જૂને બાબા બાગેશ્વરનો કાર્યક્રમ, DCP સહિતની પોલીસની ટીમે કર્યું સ્થળ નિરીક્ષણ, જુઓ Video

બાબા બાગેશ્વર બપોરે 12.15 કલાકે અંબાજી મંદિરમાં દર્શન કરશે. અંબાજી મંદિરે દર્શન કર્યા બાદ બપોરે 1 વાગ્યે અંબાજીના ઇસ્કોન અંબેવેલીમાં બાબા વિશ્રામ લેશે. બપોરે 3 કલાકે અંબાજીથી અમદાવાદ આવવા બાબા રવાના થશે. ત્યાર બાદ 28મેના રોજ અમદાવાદમાં ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણ કોટકને ત્યાં બાબા બાગેશ્વર રોકાણ કરવાના છે, જેની માટે પણ અમદાવાદ ખાતે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 28 મેના દિને ઝૂંડાલ પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ યોજાશે. 29 અને 30મેના રોજ પણ પ્રવીણ કોટકને ત્યાં રોકાણ કરે તેવી શક્યતા છે. જોકે આ બે દિવસ બાબા ઘાટલોડીયાના ચાણક્યપુરીના મેદાનમાં કાર્યક્ર્મ યોજાશે.

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">