AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: અમદાવાદમાં બાબા બાગેશ્વરની સ્પષ્ટ વાત, સનાતનીઓને એક થવા કરી હાંકલ, કહ્યુ, જાગશો નહીં તો આવનારી પેઢીમાં રામકથા નહીં થાય

Ahmedabad: અમદાવાદમાં વટવામાં આયોજિત શિવકથામાં બાબા બાગેશ્વર પીઠાધિશના ધીરેન્દ્ર શાસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે તેમણે ભારતમાં હિંદુ રાષ્ટ્ર સ્થાપિત કરવાની વાત કરી. સાથોસાથ સનાતનીઓને એક થવા હાંકલ કરી અને કહ્યુ કે જાગશો નહીં તો આવનારી પેઢીમાં રામકથા નહીં થાય.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 8:42 PM
Share

Ahmedabad: બાબા બાગેશ્વરથી જાણીતા બાગેશ્વરધામના પીઠાધિશ ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અમદાવાદના મહેમાન બન્યા. વટવામાં દેવકીનંદન મહારાજના એક કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. વટવામાં આયોજિત શિવકથા દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભારતમાં હિંદુ રાષ્ટ્ર સ્થાપિત કરવાની વાત કરી. આ પ્રસંગે તેમણે જણાવ્યુ કે ભારતના નાગરિકોએ જાગૃત થવુ પડશે. મારુ કામ માત્ર આપને જાગૃત કરવાનું છે. તેમણે સનાતનીઓને એક થવાની હાકલ કરી. કહ્યું જાગશો નહીં તો આવનારી પેઢીમાં રામકથા નહીં થાય. વધુમાં તેમણે જણાવ્યુ કે જે હિંદુ નહીં જાગે તે કાયર ગણાશે. અત્યારે નહીં જાગો તો ભવિષ્યની પેઢી વાતો કરશે.

અયોધ્યામાં રામ બિરાજમાન થયા, હવે મથુરામાં કૃષ્ણને બિરાજમાન કરવાના છે- ધીરેન્દ્ર શાસ્ત્રી

ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યુ કે ગુજરાતના મારા પ્રવાસથી માહોલ ગરમાયો છે. અયોધ્યામાં રામ બિરાજમાન થયા, હવે મથુરામાં કૃષ્ણને બિરાજમાન કરવાના છે. ધર્મ વિરોધી તત્વોને બહાર નહીં કાઢીએ ત્યાં સુધી પરિશ્રમ ચાલશે. હવે સૌ હિંદુઓએ એક થવાની જરૂર છે.

આ પણ વાંચો : Gujarati Video: રાજકોટમાં બાબા બાગેશ્વરના દરબાર પૂર્વે વિજય રૂપાણીએ વ્યવસ્થાની સમીક્ષા કરી

આપને જણાવી દઈએ કે અમદાવાદ એરપોર્ટથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાફલો સીધો અમરાઇવાડી પહોંચ્યો. જ્યાં શિવકથાના યજમાન રામ પ્રતાપ ચૌહાણના ઘરે બાબાએ ચાની ચુસ્કી પણ લીધી હતી. અમરાઇવાડીમાં પણ મોટી સંખ્યામાં બાબાના સમર્થકો અને ભક્તોનો જમાવડો જોવા મળ્યો. અહીં પણ બાબાએ પોતાના સમર્થકોને નારાજ ન કર્યા અને તમામનું કારમાંથી જ અભિવાદન ઝીલ્યું. બાબાએ બે હાથ જોડીને ભક્તોના ભાવભીના નમનને સ્વીકાર્યા હતા અને સૌનો આભાર માન્યો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">