સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ડુંગર પર વિરાજમાન ચામુંડા માતાજીના મંદિરમાં આરતી અને દર્શનના ફેરફાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને પૂનમને અનુલક્ષીને સવારની આરતીનો સમય વહેલી સવારે ત્રણ વાગ્યે અને તળેટીના પગથિયા ખુલવાનો ટાઈમ અઢી કલાકનો રહેશે. ચૈત્રી પૂનમના રોજ વહેલી સવારે 2 વાગ્યે આરતી થશે અને 1.30 વાગ્યે પગથિયા ખુલશે. અન્ય દિવસોમાં સવારની આરતી સવારે 6 કલાકે થશે અને સવારે 5.30 વાગ્યે પગથિયા ખુલશે જેની દરેક ભક્તોએ નોંધ લેવી તેમ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યુ છે.
આ તરફ ચોટિલામાં એક લગ્નપ્રસંગમાં આવેલ એક યુગલને અકસ્માત નડ્યો હતો. લગ્નપ્રસંગમાં આવેલ યુગલ કારમાં બેસી રાજપરા તરફ જતા હતા. ત્યારે અચાનક કાર પલટી ખાઈ જતા અકસ્માત નડ્યો હતો. જેમા યુવતીને વધુ ઈજા થતા રાજકોટ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. આ બનાવની પ્રેમી સામે ચોટિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો: Surendranagar : ચોટીલાના ચામુંડા માતાજીના દર્શન કરવા માટે માઈ ભક્તોનું ઘોડાપુર
આ દરમિયાન કાર પ્રેમી ચલાવતો હતો અને ડ્રાઈવરની સીટની બાજુમાં અન્ય શખ્સ બેઠો હતો. પ્રેમીએ કારમાં બેસવાનું કહેતા પ્રેમિકા પાછળની સીટમાં બેઠા હતા. બાદમાં રાજપરા તરફ જતી વખતે પ્રેમીએ કાર બેફીકરાઈથી ચલાવતા કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં પ્રેમિકાને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ દવાખાને લઈ જવાયા હતા. આ બનાવની ચોટીલા પોલીસ મથકે પ્રેમી સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ વી.એચ.ખટાણા ચલાવી રહ્યા છે.