આજનું હવામાન : માવઠાને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી, આગામી 5 દિવસ રાજ્યમાં કેવુ રહેશે વાતારણ વીડિયો દ્વારા જાણો
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં નથી આવી. તો આજે અમદાવાદ, આણંદ,ભાવનગર,ગાંધીનગર,ખેડા,મોરબી,પંચમહાલ,પોરબંદર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો ભરુચ,બોટાદ,દેવભૂમિ દ્વારકા,રાજકોટ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તો આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં નથી આવી. તો બીજી તરફ હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આગમી 5 દિવસમાં માવઠુ થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. તો આજે અમદાવાદ, આણંદ, ભાવનગર,ગાંધીનગર,ખેડા,મોરબી,પંચમહાલ,પોરબંદર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
તો ભરુચ,બોટાદ,દેવભૂમિ દ્વારકા,જામનગર, મહીસાગર,મહેસાણા,રાજકોટ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો દાહોદ, નવસારી સહિતના જિલ્લાઓમાં 26 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
તો અમદાવાદ,અમરેલી,આણંદ, છોટાઉદેપુર, ડાંગ, ખેડા,નર્મદા, પંચમહાલ,પાટણ સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો અરવલ્લી,બોટાદ, દાહોદ, ગાંધીનગર, જુનાગઢ, મહેસાણા, પોરબંદર,સુરત સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.