ગુનેગારોને હર્ષ સંઘવીની સ્પષ્ટ ચેતવણી, ગુજરાત પોલીસ અસામાજિક તત્વો સામે હનુમાન બનીને આવશે, જુઓ Video
નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગુનેગારોને કડક ચેતવણી આપી છે કે તેમનો કોઈ ધર્મ કે જાતિ નથી હોતી. ગુજરાત પોલીસ ડીજીપી કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વો સામે હનુમાન બનીને કાર્યવાહી કરશે.
નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગુનેગારો અને અસામાજિક તત્વોને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, “ગુનેગારોનો કોઈ ધર્મ નથી હોતો અને તેમની કોઈ જાતિ પણ નથી હોતી.” લોકોને હેરાન કરનારા આવા તત્વોને બક્ષવામાં આવશે નહીં. સંઘવીએ ઉમેર્યું હતું કે એક પણ ગુનેગારને છોડવામાં નહીં આવે અને જો કોઈ ટપોરી કે અસામાજિક તત્વ સામાન્ય નાગરિકોને હેરાન-પરેશાન કરશે તો ગુજરાત પોલીસ હનુમાનજીનું સ્વરૂપ ધારણ કરીને તેમની સામે કાર્યવાહી કરશે.
ડીજીપી કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે અસામાજિક તત્વોને સીધા કરવા માટે મક્કમ નિર્ધાર કર્યો છે. પોલીસ ગુનેગારોને ખૂણેખૂણેથી શોધી કાઢીને તેમને કાયદાના દાયરામાં લાવશે. આ પ્રયાસોનો મુખ્ય ઉદ્દેશ્ય વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. શહેરના પોલીસ કમિશનર અને તેમની સમગ્ર ટીમ આ દિશામાં સક્રિયપણે કામ કરી રહી છે, જેથી લોકોને વધુ સુરક્ષિત વાતાવરણ પૂરું પાડી શકાય.
દેશનો પ્રથમ ફોર લેન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે થશે પહોળો, જાણો વિગત
