મકરસંક્રાતિએ ભગવાન જગન્નાથના દર્શન-ગૌ પુજન કરતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ

મકરસંક્રાંતિ- ઉતરાયણ પર્વની ઉજવણીમાં આપણી સંસ્કૃતિમાં પશુઓને ઘાસચારો અને જરૂરત મંદ લોકોને દાનનું અનેરુ મહાત્મ્ય છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2022 | 12:47 PM

મકર સંક્રાંતિના (Makar Sankranti) પાવન પર્વ નિમિત્તે સીએમ ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) અમદાવાદમાં ભગવાન જગન્નાથના દર્શન કર્યા.. તેઓ સવારે જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ ભગવાનના મંદિરે (Jagannath Temple) પહોંચ્યા હતા. જ્યાં તેમણે પૂજા-અર્ચના કરી હતી અને ત્યારબાદ ગૌમાતાનું પૂજન કરીને ઘાસચારો નીર્યો હતો. મુખ્યપ્રધાને મંદિર પરિસરમાં હાજર દર્શનાર્થીઓનું અભિવાદન ઝીલ્યું હતું અને મંદિર વિસ્તારમાં વસતા પરિવારો તેમજ જરૂરિયાતમંદ લોકોને મીઠાઈનું વિતરણ કર્યું હતું.

લોકોનુ ઝીલ્યુ અભિવાદન
મકરસંક્રાંતિ- ઉતરાયણ પર્વની ઉજવણીમાં આપણી સંસ્કૃતિમાં પશુઓને ઘાસચારો અને જરૂરત મંદ લોકોને દાનનું અનેરુ મહાત્મ્ય છે. આ પરંપરાને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) પણ સહજતાપૂર્વક નિભાવી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું.

જરૂરતમંદોને મીઠાઈનુ કર્યુ વિતરણ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરે ભગવાનના દર્શન અને ગૌપુજન કર્યા બાદ, જગન્નાથ મંદિર વિસ્તારમાં વસતા સેવાવસ્તી પરિવારો અને જરૂરતમંદ લોકોને મીઠાઈ વગેરેનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે જગન્નાથ મંદિરના ટ્રસ્ટીગણ, જમાલપૂરના પૂર્વ ધારાસભ્ય સહીત અમદાવાદ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચોઃ

Ahmedabad: ઉત્તરાયણના પર્વ પર જીવદયા સહિતની સંસ્થા કરશે ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર, 150 ડોક્ટર સહિતનો સ્ટાફ હાજર

આ પણ વાંચોઃ

Valsad: વહીવટી તંત્રના જિલ્લાની સરહદ પર ચેકિંગના તમામ દાવા પોકળ, કંઈક અલગ વાસ્તવિકતા મળી જોવા

 

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">