Gir somnath: દેવાધિદેવના સાયં શ્રૃંગાર, તિરંગા શણગારમાં જોવા મળ્યા સોમનાથ મહાદેવ, કરો દિવ્ય દર્શન

સ્વત્રંતતા દિવસના ઉપક્રમે તિરંગા શણગાર (Tiranga) કરવામાં આવ્યા હતા અને આજે સોમવારના દિવસે સંધ્યા સમયે અરબી સમુદ્રના સાનિધ્યમાં ભકતજનોએ દેવાધિદેવના તિરંગા શણગારના દર્શન કર્યાં હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 10:34 PM

આજે સોમનાથ મહાદેવને (Somnath Mahadev) સ્વંત્રતા દિવસના ઉપક્રમે તિરંગા શણગાર (Tiranga) કરવામાં આવ્યા હતા. અને આજે સોમવારના દિવસે સંધ્યા સમયે અરબી સમુદ્રના સાનિધ્યમાં ભકતજનોએ દેવાધિદેવના તિરંગા શણગારના દર્શન કર્યા હતા. સોમનાથ દર્શનાર્થે આવી રહેલા શ્રદ્ધાળુઓને શિવભક્તિ સાથે દેશભક્તિનો પણ અનુભવ થઈ રહ્યો છે. આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi ka Amrit mahotsav) અંતર્ગત હર ઘર તિરંગાના વડાપ્રધાન મોદીના આહ્વાનને સોમનાથ ટ્રસ્ટ દ્વારા આત્મસાત કરવામાં આવ્યું છે.

સોમનાથ મંદિરને તિરંગાના રંગે 3D લાઈટથી પ્રકાશિત કરાયું છે. તો મંદિર પરિસરમાં તિરંગો લહેરાવીને સેલ્ફી પોઈન્ટ પણ ઉભા કરવામાં આવ્યા છે સાથે સોમનાથ ટ્રસ્ટની તમામ ઈમારતો પર તિરંગાને લહેરાવવામાં આવ્યા છે સમુદ્ર દર્શન વોકવે પર વિશાળ ત્રિરંગા લગાવવામાં આવ્યા છે. આજે શ્રાવણનો ત્રીજો સમોવાર છે. સાથે જ 15મી ઓગસ્ટનો અનોખો સંગમ પણ થયો છે. ત્યારે સોમનાથ (Somnath temple) દાદાના દરબારમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ દાદાના દર્શન માટે ભક્તોએ ભીડ જમાવી હતી.

ભક્તોએ પવિત્ર શ્રાવણ માસના સોમવારે દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ધર્મભક્તિ સાથે દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. તો મેહૂલિયાની મહેર વચ્ચે પણ ભક્તો ડગ્યા નહીં અને લાંબી કતારોમાં વરસતા વરસાદ વચ્ચે ભક્તોએ ભોળાના દર્શન કર્યા હતા. રાજ્ય સરકારની શ્રવણ તીર્થયાત્રા યોજના હેઠળ સુરતના સિનિયર સિટીઝનોએ સોમનાથની યાત્રા કરી હતી. સિનિયર સિટીઝનો માટે રહેવા જમવા સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રવાસન પ્રધાન પૂર્ણેશ મોદીએ યાત્રિકોને સોમનાથ યાત્રા કરાવી હતી.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">