Gandhinagar : બાયોડિઝલનો કાળો કારોબાર કરનારાઓને બક્ષવામાં નહીં આવે : પ્રદીપસિંહ જાડેજા

પ્રદિપસિંહે સંકેત આપી દીધો છે કે બાયોડિઝલનો બેફામ રીતે કરાતો વેપલો રોકવા માટે સંયુક્ત રીતે ઝૂંબેશ હાથ ધરાશે. જેમાં ગૃહવિભાગ, પુરવઠા વિભાગ અને પોલીસ તંત્ર સંયુક્ત રીતે કાર્યવાહી કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 8:00 AM

Gandhinagar : રાજ્યમાં બાયોડિઝલનો કાળો કારોબાર કરનારાઓને બક્ષવામાં નહીં આવે. આ ચેતવણી આપતું નિવેદન કર્યું છે રાજ્યના ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ. પ્રદિપસિંહે સંકેત આપી દીધો છે કે બાયોડિઝલનો બેફામ રીતે કરાતો વેપલો રોકવા માટે સંયુક્ત રીતે ઝૂંબેશ હાથ ધરાશે. જેમાં ગૃહવિભાગ, પુરવઠા વિભાગ અને પોલીસ તંત્ર સંયુક્ત રીતે કાર્યવાહી કરશે. જેના માટે સરકારે SOP પણ તૈયાર કરી છે. મહત્વપૂર્ણ છે કે બાયોડિઝલને ગેરકાયદે વેપાર રોકવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલને જવાબદારી સોંપવામાં આવી હોવાનું ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહે જણાવ્યું હતું.

મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધીમાં રાજ્ય સરકારે બાયોડિઝલનો ગેરકાયદે વેપાર કરનારાઓ સામે તવાઇ બોલાવી છે.અને કુલ 324 ગુનામાં 484 આરોપીઓની ધરપકડ કરી છે.તો આરોપીઓ પાસેથી કુલ 22.31 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે.સાથે જ ભેળસેળયુક્ત બાયોડિઝલનો 38.95 લાખ લીટરનો જથ્થો સીઝ કરાયો છે.જ્યારે 11.36 કરોડના કુલ 222 વાહનો પણ પોલીસે જપ્ત કર્યા.આમ આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઇવ યથાવત રહેશે.

નોંધનીય છેકે છેલ્લા કેટલાક દિવસોથી રાજયમાં બાયોડિઝલના કાળો કારોબારના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પેટ્રોલ-ડિઝલના ભાવવધારાને પગલે બાયોડિઝલનો ગોરખધંધો ખુબ જ ફુલ્યો ફાલ્યો છે. જેથી રાજ્ય સરકારે આ અંગે લાલ આંખ કરી છે. અને, આવા ગોરખધંધા કરતા શખ્સોને ચેતવણી આપી છે.

 

આ પણ વાંચો : Vadodara : ઉત્તરપ્રદેશનો ચર્ચાસ્પદ ધર્માંતરણ કેસ, આફમી ટ્રસ્ટ અંગે નોંધાયેલા ગુનામાં ધરપકડનો દૌર શરૂ

આ પણ વાંચો : સુરતમાં સાકાર થનારો જેમ્સ એન્ડ જવેલરી પાર્ક વિશ્વકક્ષાનો બનાવાશેઃ સીએમ રૂપાણી

Follow Us:
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">