રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે.અમદાવાદના દાણીલીમડામાં કાપડના ગોડાઉનમાં બેકાબૂ આગ લાગી હોવાની ઘટના બની છે. કલાકોની જહેમત બાદ પણ આગ કાબૂમાં આવી નથી.
11 ગજરાજ સહિત 18 ફાયર ફાઇટર સ્થળ પર પહોંચી છે. ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયા પણ સ્થળ પર છે. કોહીનૂર ક્રીએશન નામની કાપડ કંપનીમાં આગ લાગી છે.ફાયર વિભાગ દ્વારા આગ કાબૂ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. જો કે વર્તમાન સમયમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આગમાં કોઈ માણસો ફસાયા નથી.
બીજી તરફ વિપક્ષનેતા શહેઝાદ ખાન પઠાણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યુ કે રાજકોટ અગ્નિકાંડ બાદ કોર્પોરેશને તમામ એકમો પર ફાયર સેફ્ટીની NOC અને BU પરશિમન અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ કેટલાક એકમો સીલ કરવામાં આવ્યા છે. છતા પણ આ પ્રકારની ઘટના બની છે. જેમાં કેટલાક અંશે કોર્પોરેશનની પણ બેદરકારી હોવાના આક્ષેપ કર્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો