ગાંધીનગરમાં આગામી 17 સપ્ટેમ્બર સુધી કલમ 144 લાગુ, જાણો ક્યા કારણોસર લગાવાયા નિયંત્રણો
ખેડૂતોએ (Farmers) હાલ સરકાર સામે બાંયો ચડાવી છે. ગાંધીનગરમાં છેલ્લા 11 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, જો પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
ગાંધીનગરમાં (Gandhinagar) ખેડૂતો અને સરકારી કર્મચારીઓનું (Gov employe) આંદોલન ઉગ્ર બનવાની શક્યતાને પગલે કલમ 144 લાગુ કરવામાં આવી છે.આગામી 17 સપ્ટેમ્બર સુધી આ કર્ફ્યુ લાદવામાં આવ્યુ છે.અલગ- અલગ વિરોધ પ્રદર્શનને (Protest) કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં ગાંધીનગરમાં રેલી અને સરઘસ યોજવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યા છે.
સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી
આંદોલન કરી રહેલા સરકારી કર્મચારીઓએ જણાવ્યુ હતુ કે માત્ર વચન નહીં પરંતુ લેખિત ખાતરી બાદ જ આંદોલન સમેટાશે.તો બીજી તરફ સચિવાલય (Sachivalay) સંવર્ગના કર્મચારીઓએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે.સચિવાલય ફેડરેશને નાણાપ્રધાન પાસે મુલાકાત માટે સમય માગ્યો છે.તો ખેડૂતોએ (Farmers) પણ સરકાર સામે બાંયો ચડાવી છે. ગાંધીનગરમાં છેલ્લા 11 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.તો હાલ ખેડૂતોએ પણ પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.જેના કારણે ગાંધીનગર પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામા આવ્યો છે.