પવિત્ર ચૈત્ર મહિનામાં મા આદ્યશક્તિની ઉપાસનાના નવ દિવસ. એટલે કે ચૈત્રી નવરાત્રિ અને આ દિવસોમાં પાવાગઢમાં બિરાજમાન જગતજનની મા મહાકાળીના દર્શનનો વિશેષ મહિમા રહેલો છે. જેને લઇ પાવાગઢ ખાતે જોવા મળી છે ભક્તોની ભારે ભીડ. ગુજરાત સહિત અન્ય રાજ્યના શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ પાવાગઢ ખાતે મા મહાકાળીના દર્શન માટે ઉમટી પડ્યા છે.
અહીં, ભક્તો માના ચોકમાં ગરબા પણ રમ્યા. મહત્વનું છે, ચૈત્રી નવરાત્રિની આઠમ હોવાથી. મંદિરમાં ખાસ હવન પણ કરાવામાં આવ્યું. ભક્તોને અગવડતા ન પડે તે માટે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ અને તંત્ર દ્વારા તકેદારી પણ રખાઇ છે. ચૈત્રી નવરાત્રિ શરૂ થતા પહેલા જ 9થી 23 એપ્રિલ સુધીનો દર્શનનો સમય પણ સવારે 5થી સાંજે 8 વાગ્યા સુધીનો નક્કી કરાયો હતો. કારણ કે, આ દિવસોમાં ભક્તોનો ધસારો વધુ રહે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:08 am, Wed, 17 April 24