Diwali 2022: દિવડાથી ઝળહળ્યું ખોડલધામ, જુઓ મંદિરનો ભવ્ય આકાશી નજારાનો વીડિયો

દિવાળીના તહેવાર નિમિતે મંદિરને અનેરો શણગાર કરવામાં આવ્યો છે. દિવાળીની રજામાં આવતા ભાવિકોને પ્રસાદ માટે 50 હજાર સુખડીના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. દિવાળીના દિવસે રાજકોટ અને ગોંડલથી આવી પહોંચેલી બહેનો દ્વારા મંદિર પરિસરમાં વિશાળ રંગોળી બનાવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2022 | 3:28 PM

હાલમાં સમગ્ર ગુજરાત દિવાળીમય (Diwali 2022) થઈ ગયું છે અને વિવિધ તીર્થ સ્થાનોમાં  પ્રવાસીઓ ઉમટી રહ્યા છે તેમજ  વિવધ ધાર્મિક સ્થળો અને ઇમારતોને રોશનીથી સજાવવામાં આવ્યા છે. ત્યારે  રાજકોટ  (Rajkot) જિલ્લામાં આવેલું પ્રખ્યાત ખોડલધામ મંદિર  (Khodal dham Mandir) રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. ડ્રોન કેમેરા મારફતે મંદિરના અદ્ભુત આકાશી દ્રશ્યો જોવા મળ્યા છે. દિવાળીના તહેવાર નિમિતે મંદિરને અનેરો શણગાર કરવામાં આવ્યો છે.  દિવાળીની રજામાં આવતા ભાવિકોને પ્રસાદ માટે 50 હજાર સુખડીના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. દિવાળીના દિવસે રાજકોટ અને ગોંડલથી આવી પહોંચેલી બહેનો દ્વારા  મંદિર પરિસરમાં વિશાળ રંગોળી બનાવશે.

હાલમાં સમગ્ર ગુજરાતમાં વિવિધ મંદિરો તેમજ ઇમારતો અને પરિસરો રોશનીથી સજાવવામાં આવેલા છે ત્યારે રંગબેરંગી રોશનીથી નજારો નયનરમ્ય લાગે છે માટીના દીવડા તથા ઇલેક્ટ્રિક લાઇટની રોશનીથી લાગે છે કે દિવાળીના માહોલે બરાબર જમાવટ કરી છે.  નાના મંદિરથી માંડીને  મોટા મંદિરો સહિત તમામ સ્થળો પર રંગબેરંગી રોશની જોવા મળી છે. તો કચ્છ જિલ્લામાં પણ ગત રોજ ભૂકંપના મૃત્યુ પામેલા હતભાગીઓની સ્મૃતિ માટે બનાવવામાં આવેલા સ્મૃતિવનમાં દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા.

ભૂકંપના દિવંગતોને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું હતુ લોકલ ફોર વોકલના મંત્રને સાર્થક કરી દિવેલના ઉપયોગ કરી રૂની વાટ મારફત આ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. આયોજનનો એક મહત્વનો ઉદેશ એ જ હતો કે દીપોત્સવના માધ્યમથી ભૂકંપના દિવંગતોને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવે. ભૂકંપમાં જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે એવા દિવંગતોના પરિવારજનો પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને સ્મૃતિવનના સનસેટ પોઈન્ટથી સ્મૃતિવનના પ્રવેશ ગેટ સુધી દીવડાનો ઝગમગાટ જોવા મળ્યો હતો.

સનસેટ પોઈન્ટ પર ઈલેકટ્રીક  લાઇટ તો ચેકડેમ વિસ્તારમાં  માટીના દીવડાં પ્રજવલિત કરવામાં આવ્યા હતા. ફાયર સેફટીની સાથે સ્વચ્છતા સહિતની બાબતોની તકેદારી પણ રાખવામાં આવી હતી. સાથે  સાથે નગરજનો દ્વારા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ  આભાર માનવામાં આવ્યો હતો.

Follow Us:
CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ
CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ
Shani Gochar 2024: શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે 5 રાશિને મળશે લાભ
Shani Gochar 2024: શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે 5 રાશિને મળશે લાભ
મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો
મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો
ખેડાના જય અંબે સ્પાઈસીસમાંથી ઝડપાયો શંકાસ્પદ કાળા મરીનો જથ્થો
ખેડાના જય અંબે સ્પાઈસીસમાંથી ઝડપાયો શંકાસ્પદ કાળા મરીનો જથ્થો
અંબાલાલ પટેલે આ વિસ્તારમાં વરસાદની કરી આગાહી
અંબાલાલ પટેલે આ વિસ્તારમાં વરસાદની કરી આગાહી
ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video
ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video
થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video
થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video
રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી
રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી
સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી
સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ
g clip-path="url(#clip0_868_265)">