AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો, કોર્ટે આગોતરા જામીન અરજી કરી નામંજૂર

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો, કોર્ટે આગોતરા જામીન અરજી કરી નામંજૂર

Ronak Varma
| Edited By: | Updated on: Dec 04, 2023 | 6:02 PM
Share

ચૈતર વસાવાએ વકીલ મારફતે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, હું ધારાસભ્ય છું, ક્યાંય જવાનો નથી. તો સામે પક્ષે સરકારે પણ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, આ એક કસ્ટોડિયલ ઇન્ટરોગેશન નો કેસ છે અને ગંભીર કેસ છે. તેથી અરજી નામંજૂર કરવામાં આવે.

વન કર્મચારીઓને માર મારવાના કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. ત્યારે હાઇકોર્ટે આ કેસમાં તેમને રાહત આપવાનો ઈન્કાર કર્યો છે અને આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે.

ચૈતર વસાવાએ વકીલ મારફતે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, હું ધારાસભ્ય છું, ક્યાંય જવાનો નથી. તો સામે પક્ષે સરકારે પણ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, આ એક કસ્ટોડિયલ ઇન્ટરોગેશન નો કેસ છે અને ગંભીર કેસ છે. તેથી અરજી નામંજૂર કરવામાં આવે.

આ પણ વાંચો શું મિચોંગ વાવાઝોડાની ગુજરાત પર થશે કોઇ અસર ? જાણો શું છે કમોસમી વરસાદનું કારણ

ધારાસભ્ય ચૈતર વસાવા લાંબા સમયથી ફરાર છે. અગાઉ ટ્રાયલ કોર્ટે ચૈતર વસાવાના આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. એક જમીન સંબંધિત કેસમાં વન કર્મચારીઓને મારવા અને ગોળીબારના કેસમાં ચૈતર વસાવા અને તેમની પત્ની સામે ગુનો નોંધાયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">