ગુજરાતમાં યુનિવર્સિટીઓના કુલપતિ અને ઉપકુલપતિની સત્તામાં કાપ મુકવા અંગે કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે કુલપતિની નિમણુકો રાજ્ય સરકાર કરે છે, તો પછી નાણાંકીય ગેરરીતિ, અનિયમિતતા, સગાવાદ, લાગવગશાહી, કૌભાંડની વણઝાર અંગે ભાજપ સરકાર જવાબદારી કેમ સ્વીકારતી નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 8:13 PM

ગુજરાતની(Gujarat)  વિવિધ સરકારી યુનિવર્સિટીઓમાં(University) મોટા પાયે ગેરરીતિ, નાણાંકીય ગડબડી, અનિયમિતતા અને મોટા પાયે પ્રોફેસરો – કર્મચારીઓની નિમણુંકમાં લાગવગશાહી, ભ્રષ્ટાચારની વ્યાપક સિલસિલાબંધ હકીકતો – કૌભાંડની વણઝાર પછી રાજ્ય સરકારે એક પત્ર દ્વારા યુનિવર્સિટીના કુલપતિઓ(Chancellor)  અને સત્તાધીશોની સત્તામાં કાપ મુકવાના નિર્ણય અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ(Congress)  સમિતિના પ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ. મનિષ દોશીએ (Manish Doshi) આકરી પ્રતિક્રિયા આપી છે.

તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો સરકારી યુનિવર્સિટીઓમાં નાણાંકીય અને ભરતી સહિતના મુદ્દા અંગે આદેસાત્મક પત્ર જ ભાજપ સરકાર દ્વારા નિયુક્ત કુલપતિશ્રીઓ અને સરકાર નિયુક્ત સીન્ડીકેટ સભ્યો મનમાની પૂર્વક, ગેરબંધારણીય નિર્ણય કરીને ગેરરીતિ આચરતા હોય, લાગવગશાહી કરતા હોય તેનું આ સ્વીકારનામું છે.

કુલપતિની નિમણુકો રાજ્ય સરકાર કરે છે, તો પછી નાણાંકીય ગેરરીતિ, અનિયમિતતા, સગાવાદ, લાગવગશાહી, કૌભાંડની વણઝાર અંગે ભાજપ સરકાર જવાબદારી કેમ સ્વીકારતી નથી. ઉચ્ચ શિક્ષણમાં ગુજરાત સતત પાછળ ધકેલાઈ રહ્યું છે તે ચિંતાનો વિષય છે.

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં મેડિકલ ગુણ સુધારણા કૌભાંડ, કલાર્ક ભરતી કૌભાંડ, ઉત્તરવહી કૌભાંડ અને નાણાંકીય અનિયમિતતા અંગે વિસ્તૃત પુરાવા સાથેની રજુઆત છતાં રાજ્ય સરકાર જવાબદાર સામે કેમ પગલા ભરતી નથી? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારીત અધ્યાપકોની ભરતીમાં લાગવગશાહી, બાંધકામમાં ભ્રષ્ટાચાર, માટી કૌભાંડ સહિત અનેક ગેરરિતીઓ છતાં સરકાર જવાબદાર સામે પગલા કેમ ભરતી નથી

આ પણ વાંચો :  રાજકોટના ધોરાજીમાં ખેડૂતો ખુલ્લા બજારમાં વેચી રહ્યા છે મગફળી, આ છે કારણ

આ પણ વાંચો :   ગુજરાતની કોરોના રસીકરણને લઈને વધુ એક સિદ્ધિ, પાંચ મહાનગરોમાં પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ પૂર્ણ

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">