આખરે કોંગ્રેસ જાગી ! નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને આપી અરજી

|

May 06, 2024 | 5:33 PM

કોંગ્રેસે હવે નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કવાયત હાથ ધરી છે. કોંગ્રેસ લીગલ સેલે પોલીસ કમિશનરને આ અંગે અરજી આપી છે. અરજીમાં નિલેશ કુંભાણીના ટેકેદારો સામે પણ કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ટેકેદારોની ખોટી સહીના કારણે કુંભાણીનું ફોર્મ રદ થયું હતું.

ગુજરાતમાં મંગળવારે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે સુરત લોકસભા બેઠક પર આ વખતે ચૂંટણી યોજાશે નહીં, કારણ કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાં ભાજપના ઉમેદવારને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે કોંગ્રેસે હવે નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કવાયત હાથ ધરી છે. કોંગ્રેસ લીગલ સેલે પોલીસ કમિશનરને આ અંગે અરજી આપી છે.

અરજીમાં નિલેશ કુંભાણીના ટેકેદારો સામે પણ કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ટેકેદારોની ખોટી સહીના કારણે કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. ત્યારે ખોટા સોગંદનામા મુદ્દે કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી છે. તો બીજી તરફ ફરિયાદ મામલે સુરત પોલીસ કમિશનરે નિવેદન આપતા કહ્યું કે છે તપાસ ચાલુ છે, ચૂંટણી પંચ કહેશે તેમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો સુરત : નિલેશ કુંભાણી સામે કોંગ્રેસ કાર્યકરોમાં રોષ યથાવત, “ઠગ ઓફ સુરત”ના લખાણ સાથે બેનર લગાવ્યા, જુઓ વીડિયો

Next Video