ખાદ્ય સામગ્રીમાં ભેળસેળને લઈને CM આકરા પાણીએ, કેબિનેટ બેઠકમાં CMએ અધિકારીઓનો લીધો ઉધડો
મુખ્યપ્રધાને કહ્યું કે માત્ર તહેવારો પૂરતી ખાદ્ય સામગ્રીની તપાસ કરી તે યોગ્ય નથી. સતત તપાસની કામગીરી થવી જોઇએ. જેથી ભેળસેળીયાઓને જલ્દીથી જલ્દી પકડી શકાય. મુખ્યપ્રધાને સ્પષ્ટ કહ્યું છે કે, તહેવારોના ટાણે જ કાર્યવાહીનો દેખાડો કેમ કરવામાં આવે છે. સમગ્ર વર્ષ કામગીરી કેમ થતી નથી. ભેળસેળને અટકાવવા માટે સતત કાર્યવાહી જરૂરી છે.
ભેળસેળની ઘટનાઓ વધતા હવે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. મુખ્યપ્રધાને હવે આ મામલે અધિકારીઓને ફટકાર લગાવી છે અને કહ્યું છે કે, ભેળસેળ કરનારા લોકો છૂટવા ન જોઈએ અને તેઓ સાથે સખ્તમા સખ્ત કાર્યવાહી કરવામાં આવે. જેથી ભેળસેળીયાઓમાં કાયદાનો ડર જોવા મળે.
આ પણ વાંચો ગાંધીનગર : આજની કેબિનેટની બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ તૈયારીઓ પર સમીક્ષા, જુઓ વીડિયો
આ ઉપરાંત તેમણે કહ્યું કે માત્ર તહેવારો પૂરતી ખાદ્ય સામગ્રીની તપાસ કરી તે યોગ્ય નથી. સતત તપાસની કામગીરી થવી જોઇએ. જેથી ભેળસેળીયાઓને જલ્દીથી જલ્દી પકડી શકાય. મુખ્યપ્રધાને સ્પષ્ટ કહ્યું છે કે, તહેવારોના ટાણે જ કાર્યવાહીનો દેખાડો કેમ કરવામાં આવે છે. સમગ્ર વર્ષ કામગીરી કેમ થતી નથી. ભેળસેળને અટકાવવા માટે સતત કાર્યવાહી જરૂરી છે.
