જન્માષ્ટમીના તહેવાર બાદ પણ ખાદ્યતેલના ભાવમાં તેજી યથાવત જોવા મળી રહી છે. સિંગતેલના ભાવમાં રૂ.50નો વધારો થતા સિંગતેલના ડબ્બાનો ભાવ વધીને રૂ.3,050 પર પહોંચી ગયો છે. જ્યારે કપાસિયા તેલના ભાવમાં પણ રૂ.25નો વધારો નોંધાયો છે અને કપાસિયા તેલના ડબ્બાનો ભાવ વધીને રૂ.2,850 થયો છે. ખાદ્યતેલના ભાવમાં અચાનક થયેલા વધારાથી ગૃહિણીઓના બજેટ પર વધુ ભાર પડવાની શક્યતા છે.
વરસાદ ખેંચાતા મગફળી અને કપાસિયાની આવક પર અસર
રાજ્યમાં વરસાદ ખેંચાતા મગફળી અને કપાસિયાની આવક પર તેની સીધી અસર જોવા મળી રહી છે. બજારમાં મગફળી અને કપાસિયાની આવક ઘટી રહી છે, જેના કારણે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. બીજી તરફ, સિંગતેલ અને કપાસિયા તેલની માંગમાં વધારો થતાં ભાવને વધુ ટેકો મળ્યો છે.
| ખાદ્યતેલ |
ભાવ વધારો |
નવો ડબ્બાનો ભાવ |
| સિંગતેલ |
₹50 |
₹3,050 |
| કપાસિયા તેલ |
₹25 |
₹2,850 |
માંગ વધતા ભાવમાં વધુ તેજી
તહેવારો દરમિયાન ખાદ્યતેલની માંગમાં વધારો થતો હોય છે. જન્માષ્ટમી બાદ પણ સિંગતેલ અને કપાસિયા તેલની માંગ યથાવત રહેતા ભાવમાં ફરી તેજી આવી છે. એક તરફ કાચા માલની આવક ઘટી રહી છે અને બીજી તરફ માંગ વધી રહી છે, જેના કારણે ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં મગફળી અને કપાસિયાની આવક કેવી રહે છે તેના પર ખાદ્યતેલના ભાવની દિશા નક્કી થશે.
આ પણ વાંચો- Breaking News: ગાંધીનગરના કુડાસણમાં બિલ્ડિંગના સ્લેબના કાટમાળમાં દટાયેલા તમામ 15 શ્રમિકોનું કરાયું રેસ્ક્યૂ, આખી રાત કામગીરી ચાલી