AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat : ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળની શપથ વિધિ, PM મોદી અને અમિત શાહ સહિતના દિગ્ગજો રહેશે હાજર, વાંચો કયા મંત્રીને શપથ માટે કરાયા ફોન

Gujarat : ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળની શપથ વિધિ, PM મોદી અને અમિત શાહ સહિતના દિગ્ગજો રહેશે હાજર, વાંચો કયા મંત્રીને શપથ માટે કરાયા ફોન

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2022 | 7:31 AM
Share

શપથવિધિ સમારોહમાં ભાજપના મોટા નેતાઓ અને ચૂંટાયેલા તમામ ધારાસભ્યો પણ હાજર રહેવાના છે, મળતી માહિતી પ્રમાણે 24 પ્રધાનોનું પ્રધાનમંડળ રચાઈ શકે છે. જેમાં 11 ધારાસભ્યો કેબિનેટકક્ષાના બનાવાય તેવી શક્યતા છે.

આજે ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદે શપથ લેવાના છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ ગઈકાલ રાત્રે જ પહોંચી ગયા હતા.  વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ બાદ રાજભવન જવા રવાના થયા હતા ત્યારે નાનો રોડ શો પણ કર્યો હતો. લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.  વડાપ્રધાને તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. શપથવિધિ સમારોહમાં ભાજપના મોટા નેતાઓ અને ચૂંટાયેલા તમામ ધારાસભ્યો પણ હાજર રહેવાના છે, ત્યારે કોણ પ્રધાનમંડળમાં સામેલ થશે તેની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. મળતી માહિતી પ્રમાણે 24 પ્રધાનોનું પ્રધાનમંડળ રચાઈ શકે છે. જેમાં 11 ધારાસભ્યો કેબિનેટકક્ષાના બનાવાય તેવી શક્યતા છે.

11 ધારાસભ્યો કેબિનેટકક્ષાના બનાવાય તેવી શક્યતા

શપથ લેનારા મંત્રીઓને ગઈકાલે ટેલિફોનથી જાણ કરાઇ હતી. જેમાં ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ,  જગદીશ પંચાલ, કુંવરજી બાવળીયા, બળવંતસિંહ રાજપૂત, પરસોત્તમ સોલંકી, ભાનુબેન બાબરીયા, બચુભાઈ ખાબડ,  મુળુભાઇ બેરા, કુબેર ડીંડોર, હર્ષ સંઘવી, મુકેશ પટેલ, ભીખુ પરમાર, પ્રફુલ પાનસેરિયા અને કુંવરજી હળપતિનો સમાવેશ થાય છે.

g clip-path="url(#clip0_868_265)">