AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના CM તરીકે ભૂપેન્દ્ર પટેલનો શપથ વિધિ કાર્યક્રમ સોમવારે બપોરે 2 વાગે યોજાશે

ગુજરાતના મુખ્યપ્રધાન પદ માટે ભૂપેન્દ્ર પટેલ ફરી એક વાર શપથ લેવાના છે તેને લઈને ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડમાં તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.ગુજરાતના સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલની શપથ વિધિ સોમવારે બપોરે 2 વાગે યોજાશે. જેમાં પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો હાજર રહેવાના છે.

ગુજરાતના CM તરીકે ભૂપેન્દ્ર પટેલનો શપથ વિધિ કાર્યક્રમ સોમવારે બપોરે 2 વાગે યોજાશે
Bhupendra Patel Swearing In Ceremony
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2022 | 9:59 PM
Share

ગુજરાતના મુખ્યપ્રધાન પદ માટે ભૂપેન્દ્ર પટેલ ફરી એક વાર શપથ લેવાના છે તેને લઈને ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડમાં તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.ગુજરાતના સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલની શપથ વિધિ સોમવારે બપોરે 2 વાગે યોજાશે. જેમાં પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો હાજર રહેવાના છે.

આ પૂર્વે રાજ્ય પોલીસ વડા અને પૂર્વ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તૈયારીઓની સમીક્ષા પણ કરી છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ અને જે.પી.નડ્ડા સહિતાના મહાનુભાવો શપથવિધિના સમારોહમાં હાજર રહેવાના છે. જ્યારે બીજી તરફ મંત્રીમંડળમાં કોણ તે અંગેની ચર્ચાએ પણ રાજ્યભરમાં જોર પકડ્યું છે. જેમાં 156 બેઠક જીત્યા બાદ પણ જોડતોડની રાજનીતિ શરૂ થઈ છે. જેમાં અપક્ષ તરીકે ચૂંટાયેલા ત્રણ ઉમેદવારો ગઈકાલે ભાજપમાં સત્તાવાર રીતે જોડાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ અન્ય ચૂંટાયેલા ધારાસભ્ય પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નવા પ્રધાનમંડળમાં પાટીદાર અને ઓબીસી પાવર અકબંધ રહેશે. પ્રધાનમંડળમાં સૌથી વધુ પાટીદાર અને ઓબીસી પ્રધાનોના સમાવેશની શક્યતા છે. 9 સંભવિતોમાંથી 6 પાટીદારોને પ્રધાનમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા છે. 7 ઓબીસી ચહેરાઓને પ્રધાન મંડળમાં તક મળી શકે છે. 5 આદિવાસી નેતાને ટીમ ભૂપેન્દ્રમાં સ્થાન મળી શકે છે. દલિત સમુદાયમાંથી પાંચ ધારાસભ્યોને પ્રધાન બનાવાય તેવી શક્યતા છે. બે બ્રાહ્મણ અને એક ક્ષત્રિય ચહેરાનો પણ પ્રધાન મંડળમાં સમાવેશ થઈ શકે છે.

નવા મંત્રીમંડળમાં કેબિનેટમાં કોણ ?

જો કેબિનેટની વાત કરવામાં આવે તો કિરીટસિંહ રાણા, કનુ દેસાઇ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, જયેશ રાદડિયા, શંભુ પ્રસાદ ટુંડિયા અથવા રમણ વોરા, મુળુ બેરા, અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી, જીતુ વાઘાણી, ગણપત વસાવા આ ચહેરાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. 11 નેતાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. આ ભાજપના ઘણા સિનિયર ચહેરાઓ છે. આ ચહેરાઓને જાતિગત સમીકરણને લઇને કેબિનેટમાં સ્થાન મળી શકે તેમ છે. ઝોન વાઇસ પણ આ નેતાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">