ભાવનગર: નિકાસબંધીને કારણે ડુંગળીના ખેડૂતો આર્થિક પાયમાલીમાં ધકેલાયા, એક જ માગ, નિકાસબંધી પરત ખેંચે સરકાર

ભાવનગરના ખેડૂતો સરકારના નિકાસબંધીના નિર્ણયને કારણે આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયા છે. ખેડૂતોને હાલ ઉત્પાદન ખર્ચ પણ ન નીકળતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવુ પડી રહ્યુ છે. પુરતા ભાવ ન મળતા ખેડૂતોને ખર્ચ માથે પડ્યો છે અને પડતર પણ મળી રહી નથી જેને લઈને ખેડૂતોની સમસ્યાનો કોઈ પાર રહ્યો નથી.

Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Dec 18, 2023 | 10:27 PM

રાજ્યમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન થાય છે. ભાવનગરના તળાજા, મહુવાની ડુંગળીની ગુણવત્તા પણ ઘણી સારી હોવાનું વેપારીઓ જણાવે છે. જેથી અન્ય રાજ્યોમાં પણ ભાવનગરની ડુંગળીની મોટી માગ રહે છે. ગુજરાતમાં ડુંગળીના કુલ ઉત્પાદનમાં 67 ટકા જેટલુ ડુંગળીનું ઉત્પાદન ભાવનગરમાં થાય છે. ખેડૂતોએ છેલ્લા ચાર પાંચ મહિના સુધીની મહેનત બાદ ખેડૂતોએ ડુંગળીનું ઉત્પાદન તો કરી નાખ્યુ પરંતુ નિકાસબંધીના નિર્ણયે ખેડૂતોને આર્થિક પાયમાલીમાં ધકેલી દીધા છે.

નિકાસબંધીએ મારી નાખ્યા- ખેડૂત

જે ડુંગળીના ભાવ એક સપ્તાહ પહેલા 400 રૂપિયા હતા એ આજે 150 રૂપિયાથી લઈને 250 રૂપિયા આસપાસ એક મણ વેચાઈ રહી છે. આ માત્ર ભાવનગર માર્કેટિંગ યાર્ડની સ્થિતિ નથી. મહુવા અને તળાજા માર્કેટિંગ યાર્ડમાં પણ ડુંગળી 150 થી 200 રૂપિયે વેચાઈ રહી છે. શ્રેષ્ઠ ક્વોલિટીની ડુંગળી પણ માત્ર 350 રૂપિયે વેચાઈ રહી છે. હાલ ખેડૂચોની એક જ માગ છે કે કોઈપણ ભોગે સરકાર નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લે. ખેડૂતોને પુરતા ભાવ ન મળતા હોવાથી ભાવનગર, તળાજા, મહુવા, ગોંડલ, રાજકોટ સહિતના માર્કેટ યાર્ડમાં છેલ્લા 5 દિવસથી ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે.

બાંગ્લાદેશ, નેપાળમાં ગુજરાતની ડુંગળીની મોટી માગ

મહુવામાં પણ ખેડૂતોએ મોટી સંખ્યામા એક્ઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો. જો કે પોલીસે તમામ ખેડૂતોની અટકાયત કરી છે. જે બાદ ડુંગળીની હરાજી શરૂ થઈ હતી. આવનારા દિવસોમાં ડુંગળીનો મબલખ પાક વેચાણમાં આવી શકે તેમ છે. બાંગ્લાદેશ અને નેપાળ એવા દેશો છે કે, જ્યાં નબળી ગુણવત્તાની ડુંગળીની ખૂબ મોટી માગ છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ બે દેશોમાંથી જો નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવવામાં આવે તો સીધો ફાયદો ખેડૂતને થાય તેમ છે. અથવા તો સરકાર ટેકાના ભાવ જાહેર કરીને ડુંગળી ખરીદે તો પણ ખેડૂતોને ભાવ મળે તેવી શક્યતા રહેલી છે. આર્થિક સમસ્યામાં ખેડૂતો વધારે ઘેરાય તે પહેલા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કોઈ નિર્ણય લે તે ખેડૂતોના હિતમાં છે.

આજનું રાશિફળ તારીખ : 10-05-2024
Health: સમોસા ખાવાના 7 નુકસાન
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત

આ પણ વાંચો: અમદાવાદના ખરાબ રસ્તા મુદ્દે કોર્પોરેશનના સત્તાધીશો અને કોર્પોરેટરને મુખ્યમંત્રીની ટકોર કહ્યું વારંવાર રસ્તા તૂટે તો વિચારો કે જવાબદારી કોની?

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના
આ રાશિના જાતકોને આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
g clip-path="url(#clip0_868_265)">