Gujarati Video : આજે સાંજે બાબા બાગેશ્વરનો કાર્યક્રમ અમદાવાદના વટવા ખાતે યોજાશે

અમદાવાદના વટવામાં આજે બાબા બાગેશ્વરનો પ્રથમ દિવ્ય દરબાર યોજાવા જઇ રહ્યો છે. વટવાના શ્રીરામ મેદાનમાં સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન બાબાના દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 7:42 AM

Ahmedabad : અમદાવાદના વટવામાં આજે બાબા બાગેશ્વરનો પ્રથમ દિવ્ય દરબાર યોજાવા જઇ રહ્યો છે. વટવાના શ્રીરામ મેદાનમાં સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન બાબાના દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલા ઓગણજમાં બાબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ વરસાદને કારણે ઓગણજમાં કાર્યક્રમ યોજવો શક્ય બને તેમ ન હોવાથી હવે વટવામાં બાબા દરબાર ભરાવવામાં આવશે.

આ પણ વાંચો : Ahmedabad: ભારતની સૌથી મોટી ગુજરાત સ્ટેમ ક્વિઝ 2.0- ‘નવી પેઢીની નવી સફર’ની 30મી મે એ યોજાશે ફાઈનલ

શિવકૃપા મિત્ર મંડળ દ્વારા બાબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગત રાત્રે બાબા બાગેશ્વર ચાણક્યપુરી પહોંચ્યા અને ઉપસ્થિત ભક્તો સમક્ષ પ્રવચન આપ્યું હતુ. ચાણક્યપુરીમાં બાબાના આગમન પહેલા ભક્તો તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે બાબાએ ભક્તોને સંયમ જાળવવા તેમજ વહીવટીતંત્રને સહાયરૂપ બનવા અપીલ કરી હતી.

ઇસ્કોન બાલાજી કંપનીનું બાબા ઉદ્ઘાટન કરશે

મહત્વનું છે કે વટવામાં દિવ્ય દરબાર પહેલા બાબા બાગેશ્વર સાંજે 4 વાગ્યે હિંમતનગર જશે. હિંમતનગરના ઇલોલ રોડ પર આવેલી ઇસ્કોન બાલાજી કંપનીનું બાબા ઉદ્ઘાટન કરશે. જે બાદ તેઓ સાંજે વટવામાં દરબાર યોજશે. બુધવારે સવારે એરક્રાફ્ટ મારફતે બાબા બાગેશ્વર સોમનાથ જશે. સોમનાથદાદાના દર્શન કર્યા બાદ બાબા રાજકોટ જશે. જ્યાં 1 અને 2 જૂનના રોજ તેઓ દિવ્ય દરબાર યોજશે. સોમનાથ ઉપરાંત સાળંગપુર અને દ્વારકામાં પણ બાબા શિશ ઝૂકાવશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">