Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : વેરો વસૂલાત કરવા ગયેલી ટીમ પર હુમલો, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી, જુઓ Video

Divyesh Vayeda
| Edited By: | Updated on: Sep 13, 2023 | 11:42 PM

મિલકત વેરા શાખાના કર્મચારીએ સીલ ખોલવા જતા દુકાનદારને રોક્યો હતો. તેથી દુકાનદારના સગા અરવિંદસિંહ ઉશ્કેરાયો હતો અને કર્મચારી સાથે બોલાચાલી બાદ માર માર્યો હતો.હુમલાથી ડરી ગયેલા કર્મચારીઓ ત્યાંથી ભાગી ગયા હતા. જોકે, બનાવની જાણ થતાં કોર્પોરેશનના ટેક્ષ ઓફિસર પોલીસને સાથે રાખી સ્થળ પર પહોંચ્યાં હતા અને મિલકતને ફરી સીલ કરી હતી.

Jamnagar : જામનગરના નવાગામ (Navagam) વિસ્તારમાં પટેલવાડી નજીક વેરાની વસૂલાત કરવા ગયેલી ટીમ પર હુમલાની ઘટના બની છે. મિલકત વેરા શાખાની ટીમ પર કેટલાક શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. બંસરી સિલેકશન નામની દુકાનના વેરાની રકમ બાકી હોવાથી કર્મચારીઓએ સીલ કરી હતી. છતાં કાયદાનો ભંગ કરી દુકાનદારોએ સીલ ખોલ્યું હતું.

આ પણ વાંચો Breaking News : જામનગરના મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત, વિનોદ ખીમસૂર્યા મેયર અને ક્રિષ્નાબેન સોંઢા ડેપ્યુટી મેયર જાહેર

મિલકત વેરા શાખાના કર્મચારીએ સીલ ખોલવા જતા દુકાનદારને રોક્યો હતો. તેથી દુકાનદારના સગા અરવિંદસિંહ ઉશ્કેરાયો હતો અને કર્મચારી સાથે બોલાચાલી બાદ માર માર્યો હતો. હુમલાથી ડરી ગયેલા કર્મચારીઓ ત્યાંથી ભાગી ગયા હતા.

જોકે, બનાવની જાણ થતાં કોર્પોરેશનના ટેક્ષ ઓફિસર પોલીસને સાથે રાખી સ્થળ પર પહોંચ્યાં હતા અને મિલકતને ફરી સીલ કરી હતી. સાથે જ કર્મચારીઓ પર હુમલો કરનાર અરવિંદસિંહ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે અરવિંદ નામના શખ્સ સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">