AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambaji News: અંબાજી મંદિરમાં 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના કર્યા દર્શન,ચાલુ વરસાદમાં ભક્તોએ ગરબાની રમઝટ માણી, જુઓ Video

Ambaji News: અંબાજી મંદિરમાં 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના કર્યા દર્શન,ચાલુ વરસાદમાં ભક્તોએ ગરબાની રમઝટ માણી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2025 | 2:50 PM
Share

બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓને આકર્ષે છે. આ વર્ષે પણ મેળામાં ભક્તોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે. છઠ્ઠા દિવસે પણ મંદિરમાં ભક્તોનો ઘોડાપુર જેવો ધસારો જોવા મળ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓને આકર્ષે છે. આ વર્ષે પણ મેળામાં ભક્તોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે. છઠ્ઠા દિવસે પણ મંદિરમાં ભક્તોનો ઘોડાપુર જેવો ધસારો જોવા મળ્યો હતો. પાંચ દિવસમાં 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન કરીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. આ દર્શનાર્થીઓની સંખ્યા ગયા વર્ષ કરતાં નોંધપાત્ર રીતે વધુ છે. આ ઉપરાંત, 2000 જેટલી ધજાઓ મંદિરના શિખર પર ચડાવવામાં આવી હતી, જે શ્રદ્ધાળુઓની ભક્તિનું પ્રતીક છે.

આજે વરસાદી માહોલ વચ્ચે ભક્તોનો ધસારો

મંદિરના વિવિધ સેન્ટરો પરથી પાંચ દિવસમાં 2 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. આ આવક મંદિરના સંચાલન અને જાળવણીમાં ઉપયોગી થશે. મહત્વનું છે કે આ વર્ષે મેળા દરમિયાન અંબાજીમાં વરસાદી માહોલ રહ્યો છે. છતાં વરસાદની વચ્ચે પણ ભક્તોનો ઉત્સાહ ઓછો થયો ન હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી પહોંચ્યા હતા અને તેમના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. વરસાદ વચ્ચે પણ ભક્તોએ ચાર ચોકમાં ગરબા રમીને ઉત્સવ ઉજવ્યો હતો.

મેળાનો અંતિમ દિવસ આવતીકાલે છે, તેથી આજે ભક્તોનો ધસારો વધુ જોવા મળ્યો હતો. પરંતુ ચંદ્રગ્રહણને કારણે બપોરે 12:30 વાગ્યા પછી મંદિર પર ધજા ચડાવવાની પ્રક્રિયા બંધ કરવામાં આવશે. આમ, ભાદરવી પૂનમનો મેળો શ્રદ્ધા અને ઉત્સાહથી ભરપૂર રહ્યો છે અને લાખો શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન કરીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">