Ahmedabad Video : રાજપૂત વિધાભવન ખાતે રૂપાલાની ટિકિટ રદ કરવા રાજપૂત સમાજે કેન્ડલ માર્ચ યોજી નોંધાવ્યો વિરોધ

|

Mar 31, 2024 | 1:46 PM

અમદાવાદમાં રાજપૂત વિધાભવન ખાતે રૂપાલાની ટિકિટ રદ કરવા રાજપૂત સમાજે કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં ક્ષત્રિય આગેવાન અશ્વિનસિંહ સરવૈયાએ કહ્યું કે ગોંડલ ખાતે યોજાયેલી બેઠકમાં રાજપૂત સમાજના આગેવાનોને ન બોલાવતા નારાજગી છે.

રાજ્યભરમાં રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનથી રાજપૂત સમાજમાં રોષ યથાવત છે. ત્યારે હવે રૂપાલા વિરુદ્ધનું આંદોલન ગુજરાત બહાર પણ શરૂ થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. અમદાવાદમાં રાજપૂત વિધાભવન ખાતે રૂપાલાની ટિકિટ રદ કરવા રાજપૂત સમાજે કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં ક્ષત્રિય આગેવાન અશ્વિનસિંહ સરવૈયાએ કહ્યું કે ગોંડલ ખાતે યોજાયેલી બેઠકમાં રાજપૂત સમાજના આગેવાનોને ન બોલાવતા નારાજગી છે. જો રૂપાલાને બદલવામાં નહીં આવે તો આંદોલનનો વ્યાપ વધશે સમસ્ત ભારતમાં રાજપૂત સમાજ વસે છે અને સોશિયલ મીડિયા થકી અમારું આંદોલન ગુજરાત બહાર પહોંચી ગયું છે.

બીજી તરફ રૂપાલાની માફી બાદ પણ કરણીસેના અને ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજ આક્રમક બની રહ્યો છે..ગુજરાત કરણીસેનાના અધ્યક્ષે ચીમકી ઉચ્ચારી છે કે જો રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો.. આગામી સમયમાં આક્રમક વિરોધ કાર્યક્રમ જોવા મળશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video