અમદાવાદમાં કોરોના નિયમોનો ભંગ બદલ ધરપકડનો આંકડો 1 લાખને વટાવી ગયો

કોરોના મહામારી શરૂ થયા બાદ અત્યાર સુધી અમદાવાદમાં 1 લાખથી વધુ લોકોની ધરપકડ થઈ ચૂકી છે.. શહેર પોલીસના રેકોર્ડ મુજબ, કોવિડ નિયમોના ઉલ્લંઘન બદલ 1 લાખ 90 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 12:40 PM

ઓમિક્રોનના(Omicron) ખતરા વચ્ચે કોવિડ નિયમોના(Covid Guidelines)  ભંગના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.  અમદાવાદમાં(Ahmedabad)  કોરોના નિયમોનો ભંગ કરનારની ધરપકડનો આંકડો 1 લાખને વટાવી ગયો છે.કોરોનાના નિયમો પાળવામાં અમદાવાદીઓ ખૂબ જ ઉદાસીનતા દર્શાવી રહ્યા છે..

કોરોના મહામારી શરૂ થયા બાદ અત્યાર સુધી અમદાવાદમાં 1 લાખથી વધુ લોકોની ધરપકડ થઈ ચૂકી છે.. શહેર પોલીસના રેકોર્ડ મુજબ, કોવિડ નિયમોના ઉલ્લંઘન બદલ 1 લાખ 90 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ધરપકડનો આ આંકડો 24 જૂન, 2020થી 3 ડિસેમ્બર, 2021 સુધીનો છે. નિયમોના ઉલ્લંઘનમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ, માસ્ક ન પહેરવું, કરફ્યૂના કલાકો દરમિયાન બહાર નીકળવું અને લૉકડાઉન અમલમાં હોય ત્યારે બહાર નીકળવાની ઘટનાઓ સામેલ છે. આનો અર્થ એ છે કે રોગચાળો શરૂ થયો ત્યારથી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દરરોજ સરેરાશ 191 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

તો બીજીતરફ ઓમિક્રોનના ખતરાને લઈ રાજ્ય સરકાર ફરી એકવાર કોવિડ પ્રોટોકોલના કડક અમલીકરણ અંગે વિચારણા કરી રહી છે. પણ પોલીસ વિભાગના આંકડા જ કોરોના ગાઈડલાઈનના અમલીકરણમાં શિથિલતા દર્શાવે છે..પોલીસ વિભાગના આંકડા પ્રમાણે, કોરોનાની બીજી લહેર દરમિયાન એક જ દિવસમાં રાજ્યમાં લગભગ 13 હજાર લોકોને માસ્ક ન પહેરવા બદલ દંડ કરાયો હતો.

રાજ્યમાં સૌથી વધુ વસ્તી ધરાવતા અમદાવાદમાં ગત શુક્રવારે માસ્ક ન પહેરવા બદલ 385 લોકોને દંડ ફટકારાયો હતો.. જ્યારે રાજકોટમાં જાહેર સ્થળોએ માસ્ક વગર પકડાયેલા 107 લોકોને દંડ ફટકારાયો હતો.

આ પણ  વાંચો: ઓમીક્રોનની દહેશત, ધોરણ 1 થી 5 ના વર્ગો ફરી ઓનલાઇન શરૂ કરવા વાલીમંડળની માંગ

આ પણ  વાંચો :  એઈમ્સના ઓફિસ બોયએ લગાવ્યું ઓમિક્રોન વેરિયન્ટનું WhatsApp સ્ટેટસ, પહોંચ્યો જેલના સળીયા પાછળ!

Follow Us:
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">