Ahmedabad : ગણેશ મહોત્સવનું આયોજન કરતા અમદાવાદીઓએ આ નિયમોનું કરવુ પડશે પાલન, પોલીસ ઈન્ચાર્જે બહાર પાડ્યું જાહેરનામુ

માટીની મૂર્તિની (Ganesha Idol) વાત કરીએ તો તે 9 ફૂટથી વધારે ન હોવી જોઇએ.ઉપરાંત મૂર્તિ બનાવવા કારીગરો માટે પણ જાહેરનામામાં કડકાઈ દાખવવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 7:06 AM

Ahmedabad : ગણેશોત્સવને (Ganeshotasav) લઈને અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનરે (Police Commissioner) જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા અનુસાર સાર્વજનિક ગણેશ મહોત્સવ માટે સરકારે POPની મૂર્તિ 5 ફૂટથી વધારેની ઉંચઇ વાળી ન હોવી જોઇએ તેમજ પંડાલ બનાવવા અને લાઉડ સ્પીકર વગાડવા માટે મંજૂરી આપી છે. જો કે ગણેશ સ્થાપના માટે અમદાવાદીઓએ મંજુરી લેવી જરૂરી છે.આ સિવાય માટીની મૂર્તિની (Ganesha Idol) વાત કરીએ તો તે 9 ફૂટથી વધારે ન હોવી જોઇએ.ઉપરાંત મૂર્તિ બનાવવા કારીગરો માટે પણ જાહેરનામામાં કડકાઈ દાખવવામાં આવી છે.જેમાં મૂર્તિ બનાવવા માટે ઝેરી કેમિકલનો (Chemical) ઉપયોગ નહીં કરી શકે.તો શ્રદ્ધાળુઓ (Devottes) મંજુર કરેલા રૂટ પર જ શોભા યાત્રા કાઢી શકશે.તેમજ AMCએ તૈયાર કરેલા કૃત્રિમ કુંડમાં જ મૂર્તિનું વિસર્જન કરવુ પડશે.

મહત્વનું છે કે, ગયા વર્ષ કોરોના સંક્રમણ વધુ હોવાથી નિયમોમાં થોડી વધારે કડકતા દાખવવામાં આવી હતી.જેમાં સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સ (Corona Guidelines) S.O.P પાલન, ફરજિયાત માસ્ક સાથે જ લોકોને ગણેશ દર્શન માટે મંજુરી આપવામાં આવી હતી. જો કે આ વર્ષ કોરોનાના કેસ નિયંત્રિત હોવાથી સરકારે નિયમોમાં થોડી વધારે છુટછાટ આપી છે.

 વિધ્નહર્તાની મૂર્તિને વિધ્ન

રાજકોટમાં ગણેશોત્સવ (Rajkot Ganeshotasav) પહેલા જ આયોજકો અને મૂર્તિકારો ચિંતામાં ફસાયા છે, કારણકે આયોજકોએ 2 માસ પહેલા 11 ફૂટની મૂર્તિ બનાવી નાખી છે, ત્યારે પોલીસે હવે 9 ફૂટની મૂર્તિ જ રાખી શકાશે તેવું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે 31 ઓગસ્ટે ગણેશ ચતુર્થી છે, ત્યારે શહેરમાં તો બે મહિના અગાઉ જ દુંદાળા દેવના સ્વાગતની તૈયારીઓ શરૂ થઇ ગઈ હતી અને મોટાભાગની મૂર્તિઓ શહેરમાં જુદા જુદા સ્થળોએ અનેક મૂર્તિકારોએ ઇકોફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવવાનું શરૂ કરી દીધું છે. ગણેશજીની મોટી મૂર્તિ બનાવવા માટે પહેલાથી જ ઓર્ડર આપવા પડતા હોય છે જેને પગલે આયોજકોએ બે મહિના અગાઉ અનેક આયોજકોએ 11 ફૂટની મૂર્તિ બનાવવાના ઓર્ડર આપી દીધા હતાં, પરંતુ રાજકોટ શહેર પોલીસ કમિશનરે ગણેશચતુર્થીના માત્ર 21 દિવસ પહેલા જ 9 ફૂટથી વધુ ઊંચી મૂર્તિ નહીં બનાવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરતાં હવે આયોજકો મુંઝાયા છે.

Follow Us:
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">