AHMEDABAD : કોરોનાના કેસો ઘટતા અન્ય બીમારીની ઓપીડીમાં વધારો, દરરોજ 2500 થી 3000 નવા કેસો
કોરોનાના કેસ ઘટતાં જૂનમાં ઓપીડીમાં બમણો વધારો થયો હતો.હવે આ આંકડો વધીને હવે 2500થી 3 હજાર સુધી પહોંચી ગયો છે. 1 મહિનામાં વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં 1 હજારથી 1500 દર્દીનો વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે.
AHMEDABAD : કોરોનાના કેસ ઘટતા હવે અમદાવાદમાં અન્ય બીમારીની ઓપીડીમાં વધારો નોંધાયો છે.કોરોનાની બીજી લહેરમાં સિવિલ હોસ્પિટલ ઓપીડીમાં સારવાર માટે આવતાં દર્દીઓની સંખ્યા 500 સુધી પહોંચી ગઈ હતી. કોરોનાના કેસ ઘટતાં જૂનમાં ઓપીડીમાં બમણો વધારો થયો હતો.હવે આ આંકડો વધીને હવે 2500થી 3 હજાર સુધી પહોંચી ગયો છે. 1 મહિનામાં વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં 1 હજારથી 1500 દર્દીનો વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે.
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.જયપ્રકાશ મોદી જણાવે છે કે, જે ઓપરેશન ટાળી શકાય તેમ હતા એ કોરોનાને કારણે નહોતા કરવામાં આવ્યા.એક સમયે ઓપીડીમાં સારવાર માટે આવતા લોકોની સંખ્યા ઘટીને 500 સુધી પહોંચી ગઈ હતી. ઓપીડીમાં વિવિધ રોગ ઉપરાંત હાલમાં પ્રવર્તતી ડબલ સીઝનને કારણે શરદી-તાવ અને ખાંસી જેવા વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થયો છે.
કોરોનાના ઈન્ફેક્શનના ભયે ઓપીડીમાં હાડકા અને ચામડીને લગતા રોગના દર્દીઓ આવવાનું ટાળતા હતાં. જોકે હવે 30થી 40 ટકા ઓર્થોપેડિક, ગાયનેક અને ચામડીના રોગોની સારવાર માટે આવે છે. સોલા સિવિલ હોસ્પિટલમાં પણ ઓપીડીમાં આવી જ સ્થિતિ છે.
આ પણ વાંચો : MEHSANA : બહુચરાજીના છેટાસણા ગામમાં મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થતા કિશોરીનું ઘટનાસ્થળે મોત
આ પણ વાંચો : CHHOTA UDEPUR : ભારે વરસાદના કારણે ડોલરિયા ગામે સુકેટ નદી પરનો કોઝવે તુટ્યો