Botad: સાળંગપુરમાં હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ નીકળી ભવ્ય શોભાયાત્રા, હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા

હનુમાન જયંતી (Hanuman jayanti 2022) પહેલા આજના દિવસે સાળંગપુરમાં (salangpur) હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. નારાયણકુંડથી મંદિરના પરિસર સુધી પંચમુખી હનુમાનજીની શોભાયાત્રા નીકળી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 6:10 PM

આવતીકાલે હનુમાન જયંતીની (Hanuman jayanti 2022) ઉજવણી બોટાદના (Botad) સાળંગપુર (Salangpur) કષ્ટભંજન હનુમાન મંદિરમાં ધુમધામથી કરવામાં આવશે. કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવારે હનુમાન જયંતી મહોત્સવની 2 વર્ષ બાદ ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી થશે. આ ઉજવણીની પૂર્વ સંધ્યાએ એટલે કે આજે પંચમુખી હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. નારાયણકુંડથી મંદિરના પરિસર સુધી પંચમુખી હનુમાનજીની હાથી પર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં હજારો બહેનો મસ્તક પર અભિષેકનું જળ ધારણ કરી શોભા યાત્રામાં જોડાઈ.

બે વર્ષથી કોરોનાકાળને લીધે બોટાદના સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતીની ઉજવણી ધામધૂમથી થઇ શકતી ન હતી. જો કે આ વર્ષે સાળંગપુરમાં ધામધૂમથી હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવશે. હનુમાન જયંતી પહેલા આજના દિવસે સાળંગપુરમાં હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

નારાયણકુંડથી મંદિરના પરિસર સુધી પંચમુખી હનુમાનજીની શોભાયાત્રા નીકળી. જેમાં જેમાં હજારો ભાવિકો જોડાયા. બહેનોએ મસ્તક પર અભિષેકનું જળ ધારણ કરી શોભા યાત્રા યોજી. આ વિશેષ જળથી પંચમુખી હનુમાનજીનો અભિષેક કરાશે. જ્યારે 251 પુરુષ અને મહિલા સાફા ધારણ સાથે યાત્રામાં જોડાયા છે. શોભાયાત્રામાં નાસિક ઢોલ, DJ, બેન્ડવાજા, ઘોડાગાડી અને બળદગાડ મુખ્ય આકર્ષણ છે.

આ દરમિયાન સંતો 251 કિલો ફૂલ અને 25 હજાર કિલો ચોકલેટનો વરસાદ વરસાવશે. આ મહોત્સવનો 10 લાખથી વધુ ભક્તો લાભ લેશે. આ માટે તંત્રએ ખાસ રૂટ તૈયાર કર્યા છે. તેમજ રહેવા-જમવા અને પાર્કિંગની વ્યવસ્થા કરી છે. મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી અને કોઠારી વિવેક સાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં હનુમાન જયંતી મહોત્સવ બે વર્ષ બાદ ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામા આવી રહી છે. જ્યાં 2 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.

આ પણ વાચો- Anand: ખંભાતના હિંસાગ્રસ્ત વિસ્તારમાં તોફાનીઓ પર UPની જેમ બુલડોઝર નીતિ અપનાવાઇ, તોફાનીઓના ગેરકાયદે દબાણો દૂર કરાયા

આ પણ વાંચો-Gujarat Elections 2022: ચૂંટણી પહેલા જ્ઞાતિ અને સમુદાયોના સમીકરણ સાધવા રાજકીય ગતિવિધી તેજ, ભાજપ બક્ષીપંચ મોરચો યોજશે રાજ્યમાં ખાટલા પંચાયત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">