Ahmedabad: બે વર્ષ બાદ હનુમાન જન્મોત્સવની ઉજવણી, કેમ્પ હનુમાન મંદિરથી નીકળી શોભાયાત્રા

દર વર્ષે 16 એપ્રિલ ચૈત્રી સુદ પૂનમે હનુમાન કેમ્પ મંદિરમાં (Hanuman Camp) હનુમાન જન્મોત્સવ મનાવવામાં આવે છે. તેમજ તેના એક દિવસ પહેલા શહેરમાં હનુમાન યાત્રા પણ કાઢવામાં આવે છે. જે પ્રથા આ વર્ષે પણ યથાવત રખાઈ છે.

Ahmedabad: બે વર્ષ બાદ હનુમાન જન્મોત્સવની ઉજવણી, કેમ્પ હનુમાન મંદિરથી નીકળી શોભાયાત્રા
Camp Hanuman temple organizes Hanuman Jayanti Yatra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 11:48 AM

આવતીકાલે એટલે કે 16 એપ્રિલ ચૈત્રી સુદ પૂનમે ભગવાન હનુમાનની જન્મજયંતી (Hanuman Jayanti) છે. જેને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ કેમ્પ હનુમાન (camp hanuman) મંદિર દ્વારા વિશેષ ઉજવણીનું આયોજન કર્યું છે. આજથી કેમ્પ હનુમાનમાં મહોત્સવ શરૂ થઈ ગયો છે. અમદાવાદના (Ahmedabad) માર્ગો પર હનુમાન દાદાની શોભાયાત્રા નીકળતા જયશ્રી રામના નારા લાગ્યા. બે વર્ષ બાદ હનુમાન જન્મોત્સવની ઉજવણી થતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.

દર વર્ષે 16 એપ્રિલ ચૈત્રી સુદ પૂનમે કેમ્પ હનુમાન મંદિરમાં હનુમાન જન્મોત્સવ મનાવવામાં આવે છે. તેમજ તેના એક દિવસ પહેલા શહેરમાં હનુમાન યાત્રા પણ કાઢવામાં આવે છે. જે પ્રથા આ વર્ષે પણ યથાવત રખાઈ છે. કોરોનાને કારણે ગત બે વર્ષથી ઉજવણી થઈ શકતી ન હતી, પણ આ વર્ષે નહિવત કેસ અને છૂટછાટ સાથે પર્વની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. આજે અમદાવાદના શાહીબાગ કેમ્પ હનુમાન મંદિરથી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળી. શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સુભાષબ્રિજ પર મેયર દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યુ. શોભાયાત્રામાં વિવિધ કરતબો સાથેના વિવિધ અખાડાઓ પણ હતા. દાદાની ભવ્ય શોભાયાત્રામાં 14 સુશોભિત ટ્રકો અને બાઇક સહિતના નાના મોટા વાહનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

આજે સવારે 8 વાગે કેમ્પ હનુમાન મંદિરથી યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યુ. તે બાદ યાત્રા શાહીબાગ સુભાષબ્રિજ,ગાંધી આશ્રમ,વાડજ,ઉસ્માનપુરા, ઇન્કમટેક્સ, વી.એસ. હોસ્પિટલ, પાલડી, ધરણીધર, ધરણીધર, નહેરુનગર, વિજય ચાર રસ્તા નવરંગ સ્કૂલ અને ઉસ્માનપુરા, વાડજ સહિતના રુટ પર ફરી નીજ મંદિર પરત ફરશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આવતીકાલે 16 એપ્રિલે ભગવાન હનુમાનનો જન્મોત્સવ હનુમાન કેમ્પ ખાતે મનાવવામાં આવશે. જેને લઈને પણ હનુમાન કેમ્પ ખાતે વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે. વહેલી સવારે મંગળા આરતી, સુંદરકાંડ પાઠ, ફૂલોની વર્ષા, મારુતિ યજ્ઞ, ધ્વજા રોહણ અને મહા પ્રસાદ સાથે ભંડારાનું આયોજન કરાયું છે. આ વર્ષે 2500 કિલો બુંદી પર નવ ગ્રહ અને સૂર્ય બનાવી તે પ્રસાદી સ્વરૂપે લોકોને આપી ઉજવણી કરવામાં આવશે. જે આકર્ષણનું કેન્દ્ર બનશે.

ઉજવણી સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું

કોરોના કાળ દરમિયાન અનેક લોકોને લોહીની અછતના કારણે હાલાકી પડી હતી, જે પરિસ્થિતિ ફરી ન સર્જાય અને જરૂરિયાત મંદને લોહી સમયસર અને પૂરતું મળી રહે તે વિચાર સાથે હનુમાન જન્મ જયંતિ સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું. જ્યાં લોકો રક્તદાન કરી શકતા લોકોની સમસ્યા પણ દૂર કરી શકાશે.

આ પણ વાંચોઃ  વડોદરામાં પણ સાયન્સ સિટી બનાવવાની તૈયારીઓ શરૂ, મેયરે ગાંધીનગરમાં આ અંગે ચર્ચા કરી હોવાનું જણાવ્યું

આ પણ વાંચોઃ મોંઘા પેટ્રોલનો વિરોધ કરવા 1 રૂપિયે લીટર વેચાણ કરાયું પણ એટલી ભીડ ઉમટી કે પોલીસ બોલાવવી પડી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">