AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારત-પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે ગુજરાતના 7 એરપોર્ટ બંધ, ભૂજ એરપોર્ટ સેનાના હવાલે, જુઓ Video

Breaking News : ભારત-પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે ગુજરાતના 7 એરપોર્ટ બંધ, ભૂજ એરપોર્ટ સેનાના હવાલે, જુઓ Video

| Updated on: May 09, 2025 | 10:21 AM

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો માહોલ જોવા મળ્યો છે. પાકિસ્તાનની નાપાક હરકતોનો ભારત પણ વળતો જવાબ આપી રહ્યો છે. ત્યારે ભારતના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાનો વધારો કર્યો છે. તેમજ ગુજરાતના 7 જેટલા એરપોર્ટને બંધ કરવામાં આવ્યા છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો માહોલ જોવા મળ્યો છે. પાકિસ્તાનની નાપાક હરકતોનો ભારત પણ વળતો જવાબ આપી રહ્યો છે. ત્યારે ભારતના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાનો વધારો કર્યો છે. તેમજ ગુજરાતના 7 જેટલા એરપોર્ટને બંધ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા જામનગર, પોરબંદર, કંડલા, ભૂજ, રાજકોટ, કેશોદ અને મુંદ્રા સહિતના એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યા છે. કચ્છનું ભુજ એરપોર્ટ લોકો માટે બંધ કરવામાં આવ્યું છે. સેનાના હવાલે ભુજ એરપોર્ટ કરવામાં આવ્યું છે. 1971 યુદ્ધ વખતે ભુજ એરબેઝ નિશાના પર હતું. જલ દલ અને વાયુ ત્રણેય સીમાઓથી કચ્છ જોડાયેલું છે.

એરપોર્ટ કેમ બંધ છે?

હવાઈ ​​હુમલા દરમિયાન, દુશ્મનના રોકેટ આપણી તરફ આવે છે અને આપણી સંરક્ષણ પ્રણાલીના રોકેટ તે રોકેટોને તોડી પાડવા જાય છે. આ સ્થિતિમાં, જ્યારે પેસેન્જર પ્લેન હવામાં હોય છે, ત્યારે કોઈપણ રોકેટ તેના પર અથડાવી શકે છે અને મુસાફરોના જીવ જોખમમાં મુકાય છે. આ કારણોસર, હવાઈ હુમલાની સ્થિતિમાં, આસપાસના રૂટ પરના તમામ એરપોર્ટ બંધ કરી દેવામાં આવે છે. જોકે, એરપોર્ટ્સને એરમેનને નોટિસ જારી કરવામાં આવી છે. ત્યાં કોઈ હુમલો થયો નથી, પરંતુ સાવચેતી રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Published on: May 09, 2025 10:06 AM
g clip-path="url(#clip0_868_265)">