જળ આંદોલન : વડગામ તાલુકામાં કરમાવદ તળાવ ભરવાને લઈને ખેડૂતો આંદોલનના માર્ગે

વડગામ તાલુકાના જલોત્રા ગામના ખેડૂતો ઘણા વર્ષથી કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં (Mukteshvar Dam) પાણીને લાવવા અનેક વખત રજુઆત કરી ચૂક્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2022 | 11:51 AM

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના વડગામ તાલુકાના (Vadgam Taluka)  કરમાવદ ગામનું તળાવ ભરવા ખેડૂતો જળ આંદોલન કરશે. પાલનપુરમાં 125 ગામના 25 હજાર ખેડૂતો રેલીમાં જોડાઈ તેવી શક્યતા છે. ખેડૂતો (Farmer) મોટી સંખ્યામાં ટ્રેક્ટર લઈને પાલનપુર પહોંચ્યા છે. આદર્શ હાઈસ્કૂલથી કલેક્ટર કચેરી સુધી 2 કિલોમીટર સુધીની પદયાત્રા યોજાશે.જેમાં ખેડૂત આગેવાનો કરમાવદ તળાવ ભરવા કલેક્ટરને રજુઆત કરશે.વડગામના કરમાવદ ગામનું તળાવ ભરવાને લઈને ખેડૂતો હાલ આંદોલનના માર્ગ વળ્યા છે.

 વડગામનું કરમાવદ તળાવ ભરવાની માગ કરશે

તમને જણાવી દઈએ કે, વડગામ તાલુકાના જલોત્રા ગામના ખેડૂતો ઘણા વર્ષથી કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં (Mukteshvar Dam) પાણીને લાવવા અનેક વખત રજુઆત કરી ચૂક્યા છે. છતાં કોઈ ઉકેલ ના આવતા ખેડુતો આંદોલનના માર્ગ વળ્યા છે.ઉલ્લેખનીય છે કે, વરસાદની અનિયમિતતાના લીધે તાલુકામાં નદી, નાળા, તળાવ, કુવા ખાલીખમ જોવા મળી રહ્યા છે. ત્યારે તાલુકાના ખેડૂતો ને ખેતી કરવી મુશ્કેલ બની છે તેમજ વડગામ તાલુકા તેમજ પાલનપુર તાલુકા ખેડૂતો દ્વારા મુક્તેશ્વર ડેમ અને કરમાવાદ તળાવમાં પાણી ભરવા માટે જળ આંદોલનની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 125 ગામોના ખેડૂતો એકઠા થઈને રેલી યોજી મુક્તેશ્વર ડેમ અને કરમાવાત તળાવમાં પાણી નાખવા માટે શક્તિ પ્રદર્શન કરી સરકાર રજૂઆત કરશે.

આ અગાઉ પાલનપુરના સેમોદ્રા, પીપળી તેમજ છનિયાણા ગામે ખેડૂતોની રાત્રી સભા યોજાઈ હતી.જેમાં ખેડૂતો દ્વારા કળશ પૂજા કરી 26 મેનાં રોજ યોજાનારી જળ આંદોલન રેલીમાં સમર્થન આપવા માટે 800 ખેડૂતોએ સંકલ્પ લીધો હતો.

Follow Us:
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">