Ahmedabad Rain : વાસણા બેરેજમાં પાણીની આવક વધી, 14 દરવાજા 5 ફૂટ ખોલાયા, જુઓ Video

Ahmedabad Rain : વાસણા બેરેજમાં પાણીની આવક વધી, 14 દરવાજા 5 ફૂટ ખોલાયા, જુઓ Video

| Edited By: | Updated on: Aug 29, 2025 | 2:29 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે અમદાવાદાના વાસણા બેરેજમાં પાણીની આવક વધતા ફરી એક વાર પાણી છોડાયું છે. વાસણા બેરેજમાંથી 20645 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે અમદાવાદાના વાસણા બેરેજમાં પાણીની આવક વધતા ફરી એક વાર પાણી છોડાયું છે. વાસણા બેરેજમાંથી 20645 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વાસણા બેરેજના 14 દરવાજા 5 ફૂટ ખોલાયા છે. ધરોઈ ડેમમાંથી 26430 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેના પગલે સંત સરોવરમાંથી 21,470 ક્યુસેક પાણી છોડાયું છે. જ્યારે નર્મદા મેઈન કેનાલમાંથી 6,977 ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 148 તાલુકાઓમાં વરસાદ વરસ્યો

રાજ્યમાં મેઘાની રમઝટ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 148 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7.48 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે સાબરકાંઠાના ઈડરમાં 5.59 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ અરવલ્લીના મેઘરજમાં 4.45 વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ગાંધીનગરના દહેગામમાં 3.82 ઈંચ વરસાદ ખાબક્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતા કેટલા વિસ્તારમાં પાણી ભરાયા છે. તો છોટાઉદેપુરના ક્વાંટમાં 3.15 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે 22 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તેમજ અન્ય 46 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો