AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામલલ્લાને સમર્પિત કરાશે પાકિસ્તાનથી આવેલો પોશાક, જાણો મંદિર ટ્રસ્ટને ક્યારે અપાશે, જુઓ વીડિયો

રામલલ્લાને સમર્પિત કરાશે પાકિસ્તાનથી આવેલો પોશાક, જાણો મંદિર ટ્રસ્ટને ક્યારે અપાશે, જુઓ વીડિયો

| Updated on: Dec 02, 2023 | 12:02 AM
Share

પાકિસ્તાનમાં આવેલા શિવશાંતિ આશ્રમ દ્વારા આ ડ્રેસ આપવામાં આવ્યો છે. આ ડ્રેસ શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને અર્પણ કરવામાં આવશે. શિવશાંતિ આશ્રમ લખનૌના સાંઈ મોહનલાલ અને સમાજના આગેવાનોની હાજરીમાં ટ્રસ્ટના અધિકારીઓને આ પોશાક ભગવાનને અર્પણ કરવામાં આવશે.

પાકિસ્તાનનો સિંધી ડ્રેસ અજરક રામલલ્લાને અર્પણ કરવામાં આવશે. અહીં આવેલા શિવશાંતિ આશ્રમના સંત સાંઈ હરીશલાલે શિવાલય મંદિર પરિવારના મહંત ગણેશદાસને આ પોશાક અર્પણ કર્યો હતો.

આ ડ્રેસ 2 ડિસેમ્બરે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને અર્પણ કરવામાં આવશે. શિવશાંતિ આશ્રમ લખનૌના સાંઈ મોહનલાલ અને સમાજના આગેવાનોની હાજરીમાં ટ્રસ્ટના અધિકારીઓને આ પોશાક ભગવાનને અર્પણ કરવામાં આવશે.

આ પણ વાંચો 2028માં COP33ની મેજબાની કરશે ભારત? વડાપ્રધાન મોદીએ દુબઈમાં મુક્યો પ્રસ્તાવ

તમને જણાવી દઈએ કે 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ યોજાવાનો છે. આ માટે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રતિનિધિઓએ વડાપ્રધાન મોદીને ઔપચારિક આમંત્રણ આપ્યું હતું. અયોધ્યામાં શ્રી રામ મંદિરનો શિલાન્યાસ પણ પીએમ મોદીએ કર્યો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Dec 01, 2023 11:53 PM
g clip-path="url(#clip0_868_265)">