AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2028માં COP33ની મેજબાની કરશે ભારત? વડાપ્રધાન મોદીએ દુબઈમાં મુક્યો પ્રસ્તાવ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતે ઈકોલોજી અને અર્થવ્યવસ્થાની વચ્ચે સારા સંતુલન બનાવી દુનિયાની સામે વિકાસનું એક મોડલ રજૂ કર્યુ છે. ભારતે વિકાસ અને પર્યાવરણ સંરક્ષણની વચ્ચે સંતુલન બનાવી દુનિયાની સામે એક મહાન ઉદાહરણ રજૂ કર્યુ છે.

2028માં COP33ની મેજબાની કરશે ભારત? વડાપ્રધાન મોદીએ દુબઈમાં મુક્યો પ્રસ્તાવ
PM Modi In UAE Image Credit source: PTI
| Updated on: Dec 01, 2023 | 6:26 PM
Share

યુએઈ પ્રવાસ પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2028માં સંયૂક્ત રાષ્ટ્ર જલવાયુ સંમેલન અથવા સીઓપી 33ની મેજબાની ભારતમાં કરવાનો શુક્રવારે પ્રસ્તાવ મુક્યો છે. તેની સાથે સાથે વડાપ્રધાને કાર્બન સિંક બનાવવા પર કેન્દ્રિત ગ્રીન ક્રેડિટ પહેલ શરૂ કરી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતે 2030 સુધી ઉત્સર્જનની તીવ્રતાને 45 ટકા સુધી ઓછુ કરવા, બિન-અશ્મિભૂત ઈંધણની ભાગીદારીને 50 ટકા સુધી વધારવાનું લક્ષ્ય રાખ્યું છે.

દુબઈમાં સીઓપી 28ને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત પોતાના રાષ્ટ્રીય સ્તર પર નિર્ધારિત યોગદાન લક્ષ્યોને પ્રાપ્ત કરવાના રસ્તા પર છે. ભારતે ઈકોલોજી અને અર્થવ્યવસ્થાની વચ્ચે સારા સંતુલન બનાવી દુનિયાની સામે વિકાસનું એક મોડલ રજૂ કર્યુ છે. ભારતે વિકાસ અને પર્યાવરણ સંરક્ષણની વચ્ચે સંતુલન બનાવી દુનિયાની સામે એક મહાન ઉદાહરણ રજૂ કર્યુ છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત દુનિયાના તે કેટલાક દેશોમાંથી એક છે, જે ગ્લોબલ વોર્મિગને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત કરવા માટે રાષ્ટ્રીય સ્તર પર નિર્ધારિત યોગદાનને મેળવવાની રાહ પર છે. વડાપ્રધાન મોદી સીઓપી 28ના અધ્યક્ષ સુલ્તાન અલ જાબેર અને સંયૂક્ત રાષ્ટ્ર જલવાયુ પરિવર્તનના અધ્યક્ષ સાઈમન સ્ટિલની સાથે ઉદ્ઘાટન કાર્યક્રમમાં સામેલ થનારા એક માત્ર નેતા હતા. વડાપ્રધાને અમીર દેશોને જલવાયુ પરિવર્તન સામે લડવા અને મદદ કરવા માટે ટેક્નોલોજી શેયર કરવા માટે પણ આહ્વાન કર્યુ.

ધરતીના અનુકુળ જીવન પદ્ધતિ અપનાવવાની અપીલ

વડાપ્રધાન મોદીએ પર્યાવરણ માટે જીવનશૈલીનું સમર્થન કરતા દેશોને ધરતીના અનુકુળ જીવન પદ્ધતિઓને અપનાવવા અને સઘન ગ્રાહક વર્તનથી દુર જવાનો આગ્રહ પણ કર્યો. તેમને આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના એક અભ્યાસનો હવાલો આપતા કહ્યું કે આ દષ્ટિકોણ કાર્બન ઉત્સર્જનને 2 બિલિયન ટન સુધી ઓછુ કરી શકે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે દરેકના હિતોનું રક્ષણ કરવું જોઈએ અને જલવાયુ પરિવર્તન સામે લડાઈમાં તમામની ભાગીદારી જરૂરી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">