સોનલને જાજીરે ખમાયું! જૂનાગઢના મઢડામાં થયું હતું મા સોનલનું પ્રાગટ્ય, જાણો આઈશ્રીની પ્રગટભૂમિનો મહિમા

મઢડામાં આવેલો આઈશ્રી સોનલનો આ દરબાર એટલે તો ભક્તોને મન જાણે માતાનો ખોળો. એ ખોળો કે જ્યાં ભર તડકેય બાળકને છાંયો મળે અને દુઃખોથી ઘેરાયેલાં મનને પ્રેમભરી શાતા મળે. એ જ કારણ છે કે નાનકડું મઢડા બારેયમાસ શ્રદ્ધાળુઓની ભીડથી ઘેરાયેલું રહે છે.

TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 09, 2022 | 9:11 AM

જય સોનલ શક્તિ સુખ કરની । જય હમીર સુતા દુઃખ હરની ।।

રાણલ પુત્રી જનની ભવાની । અસુર મર્દિની ચંડી સમાની ।।

શ્યામ લોબડી નયન વિશાલા । શક્તિ સ્વરૂપે ચારન બાલા ।।

સોનલ રૂપે તુંહી સુહાવે । બાલક દરશન કર સુખ પાવે ।।

 

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં મઢડા નામે નાનકડું ગામ આવેલું છે. આ મઢડા એટલે જ આઈશ્રી સોનલનું જન્મસ્થાન. આઈશ્રી સોનલ મા એટલે મૂળે તો ચારણકુળના ઉદ્ધારક માત. કે જેમણે તેમના શબ્દોથી, તેમના કાર્યોથી અને પરચાઓથી એવી સુવાસ પ્રસરાવી કે જે આજે તેમના અવતરણના આટલા સમય બાદ પણ અનેકોને તારી રહી છે. મઢડા ધામમાં આજે મા સોનલનું અત્યંત સુંદર મંદિર શોભાયમાન છે.

કલાત્મક કોતરણીઓથી શોભતા મઢડાના મંદિર પર આઈશ્રી સોનબાઈના નામનો જયકાર કરતી ધજા સદૈવ ફરફરતી રહે છે. માની ધજાના દર્શન કરી ભક્તો મંદિરમાં પ્રવેશ કરે છે. જ્યાં તેમને મા સોનબાઈની અત્યંત ભાવવાહી પ્રતિમાના દર્શન થાય છે. મઢડાવાળી મા સોનલનું આ સ્વરૂપ દર્શન માત્રથી શ્રદ્ધાળુઓને માના પરમ વાત્સલ્યનો અનુભવ કરાવે છે. માના નેત્રમાંથી થઈ રહેલી નેહની વર્ષા ભક્તોને આજે પણ સોનબાઈના હાજરાહજૂરપણાની પ્રતિતિ કરાવે છે અને એટલે જ તો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં માના આશીર્વાદ લેવા ઉમટી રહ્યા છે.

આઈશ્રી સોનલનું સમગ્ર જીવન સાત્વિક ઊર્જા, પવિત્રતા અને પુરુષાર્થથી ભરેલું રહ્યું. તેમણે ચારણ સમાજને એક કરવાનું સૌથી મોટું અભિયાન છેડ્યું હતું. લોકોને શિક્ષણ અંગે જાગૃત કરવા માએ ગામે-ગામ પ્રવાસ કર્યો. ચારણ વિદ્યાર્થીઓ માટે તેમણે છાત્રાલયો શરૂ કરાવ્યા. લોક કલ્યાણની આ યાત્રા પછી તો અઢારે વર્ણ સુધી વિસ્તરી. કહે છે કે આ સમયે માએ વિવિધ સમાજના લોકોને તેમના પરચાઓ આપ્યા. જેમણે માને સાચા મનથી યાદ કર્યા, માએ તેની વ્હારે આવી તેમના દુઃખ દૂર કર્યા. આજે એ જ અનુભૂતિ મઢડા આવનારા શ્રદ્ધાળુઓને પણ થઈ રહી છે.

મઢડામાં આવેલો આઈશ્રી સોનલનો આ દરબાર એટલે તો ભક્તોને મન જાણે માતાનો ખોળો. એ ખોળો કે જ્યાં ભર તડકેય બાળકને છાંયો મળે અને દુઃખોથી ઘેરાયેલાં મનને પ્રેમભરી શાતા મળે. એ જ કારણ છે કે નાનકડું મઢડા બારેયમાસ શ્રદ્ધાળુઓની ભીડથી ઘેરાયેલું રહે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : ભક્તો પર માતાની જેમ જ વાત્સલ્ય વરસાવે છે આ કાલિકા ! જાણો કોલકાતાની દક્ષિણેશ્વર કાલીનો મહિમા

આ પણ વાંચો : મા અંબા ભવાની એટલે ગિરનાર ક્ષેત્રની અધિષ્ઠાત્રી, જાણો સ્થાનક કેમ કહેવાયું ઉદયનપીઠ ?

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">