ભારતમાં બાગ્લાદેશીઓની ઘૂસપેઠનો ચાલી રહ્યો છે ધંધો ? મહારાષ્ટ્રના 2 લાખ, ગુજરાતના 1.5 લાખ

એક મીડિયા કંપની એ દાવો કર્યો છે કે તેમને એક પેમ્પ્લેટ મળ્યું છે. જેમાં ભારતના ઘણા રાજ્યોમાં બાંગ્લાદેશી નાગરિકોને ઘુસપેઠ કરવા માટે એજન્ટો દ્વારા કેટલાક રેટ નક્કી કરવામાં આવ્યા છે. તેમાં જણાવામાં આવ્યા મુજબ પેમ્ફલેટમાં મહારાષ્ટ્રમાં રહેવા માટે 2 લાખ રૂપિયા, ગુજરાત માટે 1.50 લાખ રૂપિયા લેવાઈ રહ્યા છે.

| Updated on: Aug 13, 2024 | 4:49 PM

બાંગ્લાદેશમાં સ્થિતિ સામાન્ય નથી. ત્યાં રહેતા હિંદુઓના જીવ જોખમમાં મુકાયા છે. હિંસક દેખાવકારો હિન્દુઓના ઘરો અને મંદિરોને નિશાન બનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં ત્યાંના હિન્દુઓ ભારતમાં આવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. વાતાવરણ એવું છે કે લઘુમતીઓ, ખાસ કરીને હિંદુઓની ભીષણ હત્યાઓ, તેમના પર અત્યાચાર અને તેમના ધર્મસ્થાનો, ધંધાકીય સંસ્થાઓ અને મકાનોની તોડફોડ કરવામાં આવી છે. ત્યારે આવી હિંસા ભારતમાં પણ થઈ શકે છે બાંગ્લાદેશીઓ ત્યાંથી ભારતમાં આવી ભારતનું વાતાવરણ ખરાબ કરી શકે છે ખાસ કરીને મહારાષ્ટ્રમાં.  જી હા, આ અમે નહીં પણ એક મીડિયા હાઉસ વીડિયો દ્વારા દાવો કરી રહ્યું છે. જેનો વીડિયો હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

બાંગ્લાદેશીઓની ભારતમાં કરાઈ રહી છે ઘુસપેઠ?

આ મીડિયા હાઉસે વીડિયોમાં દાવો કર્યો છે કે તેમને એક પેમ્પ્લેટ મળ્યું છે. જેમાં ભારતના ઘણા રાજ્યોમાં બાંગ્લાદેશી નાગરિકોને ઘુસપેઠ કરવા માટે એજન્ટોનો સંપર્ક કરી રહ્યા ચે અને તે એજન્ટો દ્વારા તેમને ભારતમાં સ્થાયી કરવા માટે કેટલાક રેટ નક્કી કરવામાં આવ્યા છે. તેમાં જણાવામાં આવ્યા મુજબ પેમ્ફલેટમાં મહારાષ્ટ્રમાં રહેવા માટે 2 લાખ રૂપિયા, ગુજરાત માટે 1.50 લાખ રૂપિયા, જ્યારે રાજધાની દિલ્હી માટે 1 લાખ રૂપિયાનો ભાવ બોલાય છે. ઉપરાંત, દેશના અન્ય ભાગોમાં બાંગ્લાદેશીઓને સ્થાયી કરવા માટે 50,000 રૂપિયાના રેટ નક્કી કરવામાં આવ્યા હોવાનો દાવો મીડિયા હાઉસના વીડિયોમાં કરવામાં આવી રહ્યો છે.

વાયરલ વીડિયોમાં દાવો

આવી સ્થિતિમાં મહારાષ્ટ્રે ખાસ સાવધ રહેવાની જરૂર હોવાનું આ મીડિયા દાવો કરી રહ્યું છે. મહારાષ્ટ્રમાં બાંગ્લાદેશી નાગરિકોની ગેરકાયદે વસાહત મોટા પાયે ફેલાઈ શકે છે તે પણ જણાવી રહ્યા છે. આ ચોંકાવનારી માહિતી તાજેતરમાં તેઓ એક પેમ્ફલેટ્સના આધારે જણાવી રહ્યા છે. જોકે મીડિયા હાઉસ દ્વારા રજૂ કરાયેલા વીડિયો કે તેના સમાચારની TV9 ગુજરાતી પુષ્ટિ કરતુ નથી, પણ આ વાયરલ થઈ રહેલા વીડિયો મુજબ આવી માહિતી દેશ અને દેશના લોકો માટે મોટી ચિંતા ઉભી કરી શકે છે.

Follow Us:
સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
g clip-path="url(#clip0_868_265)">