Banaskantha : પાંચ દિવસથી કોરોના રસીના અભાવે, રસીકરણ અભિયાન સદંતર બંધ

સરકારે 10 જીલ્લાના 18 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને રસીકરણ માટે આહ્વાન કર્યું છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં 45 વર્ષથી ઉપરના લોકોને રસી આપી શકાય તે માટે પણ રસીનો જથ્થો નથી

Rahul Vegda
| Edited By: | Updated on: May 04, 2021 | 7:01 PM

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી કોરોના રસીનો જથ્થો નથી. જેના કારણે રસીકરણ અભિયાન સદંતર બંધ થયું છે. અનેક લોકો કોરોનાનું સુરક્ષાકવચ ગણાતી વેક્સિન મુકવા માટે આવે છે. પરંતુ તેમને કલાકો સુધી રાહ જોયા બાદ વેકસીન લીધા વિના પરત ફરવું પડે છે. જેના કારણે લોકો મુશ્કેલી વેઠી રહ્યાં છે. ચાલો જોઈએ વિડીયો કે જેમાં રસીકરણ કરાવવા ઈચ્છુક નાગરિકો પોતાની મુશ્કેલી વર્ણવી રહ્યા છે.

 

સરકારે 10 જીલ્લાના 18 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને રસીકરણ માટે આહ્વાન કર્યું છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં 45 વર્ષથી ઉપરના લોકોને રસી આપી શકાય તે માટે પણ રસીનો જથ્થો નથી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી રસીનો જથ્થો પહોંચવો જોઈએ એ પહોંચ્યો નથી. જેના કારણે તમામ રસીકરણ કેન્દ્રો પણ લોકોની કતારો લાગી છે. લોકો વહેલી સવારથી વેક્સિન લેવા માટે લાઇનમાં ઊભા રહે છે. પરંતુ વેકસીન ન હોવાથી રસીકરણ થઈ શકતું નથી. લોકો પણ સરકાર સામે આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર માત્ર જાહેરાતો કરે છે. પરંતુ તેના સામે રસીકરણ માટે વ્યવસ્થા થવી જોઈએ તે થતી નથી. લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વેકસીનનો જથ્થો પહોંચતો નથી. જેનો સ્વીકાર ઇન્ચાર્જ જિલ્લા અધિકારી જીગ્નેશ હરિયાણી પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સરકારે 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને વેકસીન માટે જે 10 જિલ્લાઓમાં વેકસીનની જાહેરાત કરી છે તેમાં બનાસકાંઠા જીલ્લો બાકાત છે. પરંતુ 45 વર્ષથી ઉપરના લોકો માટે પણ જીલ્લામાં જે વેકસીન આવવી જોઈએ તે જથ્થો છેલ્લા ત્રણ દિવસથી આવ્યો નથી. જેના કારણે વેકસીન વિના રસીકરણ ની પ્રક્રિયા સ્થગિત થઈ છે.

બીજી લહેર ઓછી થઇ રહી છે : રાજ્યની Covid Task Forceના સભ્ય અને ઇન્ટરવેન્શન કાર્ડિયોલોજીસ્ટ ડૉ. તેજસ પટેલ જણાવે છે કે, મેના પ્રથમ અઠવાડિયાથી COVIDના કેસ ઘટવાના શરૂ થઇ ગયા છે. અને, હવે 10-15 દિવસમાં લોકો CORONAની અસરમાંથી બહાર આવી જશે.

ત્યાં સુધીમાં બીજા વેવ્સમાં CORONA વાઇરસની મોટાભાગની અસરો સમાપ્ત પણ થઇ જશે. હાલમાં નવા કેસ ઓછા થાય છે, તેમજ રિકવરી રેટ પણ ઘણો સારો છે, જે એક સારી નિશાની છે. આગામી થોડા અઠવાડિયામાં લોકો CORONAમાંથી બહાર નીકળી જશે. પરંતુ, છૂટાછવાયા કેસ ચાલુ રહેશે. જોકે, લોકોએ છ મહિના સુધી MASK, Sanitizer અને Social distanceનું પાલન કરવું પડશે.

આ પણ વાંચો : Coronavirus : કોરોનાની રસી જલ્દી ન મળી તો બંધ કરી દઇશુ કામ,પાયલોટ્સે મેનેજમેન્ટને આપી ધમકી

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">