AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મિઝોરમની આ તસ્વીરના સોશિયલ મીડિયામાં થઈ રહ્યા છે ખુબ વખાણ, આનંદ મહિન્દ્રાએ રિટ્વીટ કરી કહ્યું Terrific pic

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ મિઝોરમ ટ્રાફિક જામની તસવીર રીટ્વીટ કરી. જેમાં તેણે લખ્યું હતું કે, 'કેટલી અદ્ભુત તસવીર. એક પણ વાહન રોડ રોડ માર્કરની બહાર નથી. આ પ્રેરણાદાયી છે.

મિઝોરમની આ તસ્વીરના સોશિયલ મીડિયામાં થઈ રહ્યા છે ખુબ વખાણ, આનંદ મહિન્દ્રાએ રિટ્વીટ કરી કહ્યું Terrific pic
This picture of Mizoram Goes Viral (Image Credit Source: Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 10:59 AM
Share

શહેરોમાં ટ્રાફિક જામ (Traffic jam)માં અટવાઈ જવું સામાન્ય બાબત છે. ટ્રાફિકમાં ધમાલ અને સતત હોન વગાડવા વચ્ચે દરેક લોકો પહેલા બહાર નીકળવાની દોડમાં લાગેલા હોય છે. આ દરમિયાન કોઈ સિગ્નલ તોડીને નીકળી જાય છે તો કેટલાક રોંગ સાઈડથી પણ નીકળતા ડરતા નથી. જ્યારે તેઓ ટ્રાફિક પોલીસ દ્વારા પકડાય છે, ત્યારે તેઓ ટ્રાફિક પોલીસ સામે દાદાગીરી કરતા જોવા મળતા હોય છે. તમે કેટલાક લોકોને એમ પણ કહેતા સાંભળ્યા હશે, તમે નથી જાણતા કે મારા પિતા કોણ છે? પરંતુ મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra)એ ટ્વિટર (Mizoram Traffic Discipline)પર મિઝોરમની એવી તસવીર શેર કરી છે, જેને જોઈને તમે પણ કહેશો, શિસ્ત કોને કહેવાય, મિઝોરમના લોકો પાસેથી શીખો.

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ મિઝોરમ ટ્રાફિક જામની તસવીર રીટ્વીટ કરી. જેમાં તેણે લખ્યું હતું કે, ‘કેટલી અદ્ભુત તસવીર. એક પણ વાહન રોડ રોડ માર્કરની બહાર નથી. આ પ્રેરણાદાયી છે. આ સાથે તે એક મજબૂત સંદેશ પણ આપી રહ્યો છે. હવે આપણા જીવનની ગુણવત્તા કેવી રીતે સુધારવી તે આપણા પર નિર્ભર છે. નિયમો નું પાલન કરો. મિઝોરમના લોકો ખરેખર પ્રશંસાપાત્ર છે.તસવીરમાં તમે જોઈ શકો છો કે જામમાં ફસાયા હોવા છતાં, લોકો શાંતિથી પોતાની લેનમાં ઉભા છે અને ટ્રાફિક જામ ખૂલવાની રાહ જોઈ રહ્યા છે. આ ત્યારે થાય છે જ્યારે અડધો રસ્તો સાવ ખાલી હોય છે. સાથે જ રોડ પર ડિવાઈડર પણ નથી. આ પછી પણ લોકો રોડ પર માર્કર ક્રોસ કરી રહ્યા નથી.

તમને જણાવી દઈએ કે આ તસવીર સૌ પ્રથમ સંદીપ અહલાવત નામના યુઝરે પોસ્ટ કરી હતી, જેને ઉદ્યોગપતિ મહિન્દ્રાએ રીટ્વીટ કરી હતી. સંદીપ અહલાવતે પોસ્ટ સાથે લખ્યું, ‘મેં આવી શિસ્ત માત્ર મિઝોરમમાં જ જોઈ છે. ત્યાં કોઈ ફેન્સી કાર ન હતી, કોઈ અહંકાર, કોઈ રોડ રેજ, કોઈ બિનજરૂરી રીતે હોર્ન વગાડતું નહોતું અને ટ્રાફિકમાં પહેલા જવા માટે કોઈ દોડતું નહોતું. ચારે બાજુ શાંતિ હતી.

ભારતમાં ટ્રાફિક નિયમોની અજ્ઞાનતાને કારણે દરરોજ સેંકડો લોકો મૃત્યુ પામે છે. સરકાર દ્વારા લોકસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર, 2020માં એક્સપ્રેસ વે સહિત નેશનલ હાઈવે પર રોડ અકસ્માતમાં 47,984 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

આ પણ વાંચો: Success Story: ડ્રેગન ફ્રુટ અને સ્ટ્રોબેરીની ખેતીથી કરી રહ્યા છે સારો નફો, જાણો આ પ્રગતિશીલ ખેડૂતની કહાની

આ પણ વાંચો: પુરૂષો આ ઘરગથ્થુ ઉપાયોથી ઓઈલી ત્વચાથી છુટકારો મેળવી શકે છે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">