AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OMG ! અહીંના બારમાં દારૂની જગ્યાએ લોકો દૂધ પીવે છે, પીએમ મોદીએ આ દેશને 200 ગાયો દાન આપી છે

દેશભરમાં 380,000 થી વધુ ગાયોનું વિતરણ કર્યું છે. જેમાં ખાનગી કંપનીઓ, સહાય એજન્સીઓ અને ભારતના પીએમ નરેન્દ્ર મોદી સહિત વિદેશી નેતાઓના યોગદાનનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ અહીં એક ગામમાં 200 ગાયોનું દાન કર્યું છે.

OMG ! અહીંના બારમાં દારૂની જગ્યાએ લોકો દૂધ પીવે છે, પીએમ મોદીએ આ દેશને 200 ગાયો દાન આપી છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 9:54 AM
Share

કિગાલીમાં લોકો લગભગ દરરોજ બારમાં જાય છે અને દૂધ પીવે છે, તે તેમની પરંપરાનો એક ભાગ બની ગયો છે. જીન બોસ્કો, એક મોટરસાઇકલ ટેક્સી ડ્રાઇવર કહે છે “મને દૂધ ગમે છે. કારણ કે તે મને શાંત રાખે છે. તણાવ ઓછો કરે છે.” જીન અને તેના જેવા અન્ય ઘણા લોકો કિગાલીમાં આ દૂધના બારમાં બેઠેલા જોવા મળશે.

રવાંડામાં દૂધ એક લોકપ્રિય પીણું છે. મિલ્ક બાર એક એવી જગ્યા છે જ્યાં તમામ ક્ષેત્રના લોકો ભેગા થાય છે. પુરુષો અને સ્ત્રીઓ આખો દિવસ બેન્ચ અને ખુરશીઓ પર બેઠેલા જોવા મળે છે, કેટલાક લિટર દૂધ તેમની સામે એક ગ્લાસ મગમાં કાઢવામાં આવે છે, જે સ્થાનિક રીતે “ikivuguto” તરીકે ઓળખાય છે.

લોકો પોતાની પસંદગી મુજબ ગરમ કે ઠંડુ દૂધ પીવે છે. ઘણા લોકો તેમના કપને સમાપ્ત કરવાના જૂના રિવાજને અનુસરે છે. જ્યારે અન્ય લોકો કેક, રોટી અને કેળા જેવા નાસ્તા ખાતી વખતે તેને ધીરે ધીરે પીવાનું પસંદ કરે છે. છેલ્લા દાયકામાં દરેક જગ્યાએ દૂધના બાર ખુલી ગયા છે. દૂધ આ દેશની સંસ્કૃતિ, ઇતિહાસ અને ઓળખ સાથે સંકળાયેલું છે. એટલું જ નહીં, હવે તેની અર્થવ્યવસ્થા પર પણ અસર પડી રહી છે. ગાય હવે રવાંડામાં આવકનો મુખ્ય સ્ત્રોત છે અને પ્રતિષ્ઠાનો મુદ્દો પણ છે.

પ્રથા પાછળનો ઇતિહાસ

1994 માં દેશમાં થયેલા હત્યાકાંડમાં આશરે આઠ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. માર્યા ગયેલા મોટાભાગના તુત્સી જાતિના હતા. ઐતિહાસિક રીતે, તે ભરવાડ અને પશુપાલક તરીકે ઓળખાય છે. જેમ જેમ દેશ નરસંહારમાંથી બહાર આવ્યો, રવાન્ડાની સરકારે અર્થતંત્રને વધારવા અને કુપોષણ સામે લડવાના માર્ગ તરીકે ફરી ગાયોને જોવાનું શરૂ કર્યું.

રાષ્ટ્રપતિ પોલ કાગમે 2006 માં “ગિરિન્કા” કાર્યક્રમ શરૂ કર્યો હતો, જેનો ઉદ્દેશ દરેક ગરીબ પરિવારને એક ગાય આપવાનો હતો. કૃષિ અને પશુ સંસાધન મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ યોજનાએ અત્યાર સુધીમાં દેશભરમાં 380,000 થી વધુ ગાયોનું વિતરણ કર્યું છે. જેમાં ખાનગી કંપનીઓ, સહાય એજન્સીઓ અને ભારતના પીએમ નરેન્દ્ર મોદી સહિત વિદેશી નેતાઓના યોગદાનનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ અહીં એક ગામમાં 200 ગાયોનું દાન કર્યું છે.

આ પણ વાંચો –

શું Corona ની ત્રીજી લહેરના ભય વચ્ચે સરકાર ફરી દેશવ્યાપી Lockdown લાગુ કરી રહી છે? જાણો શું છે હકીકત

આ પણ વાંચો –

Viral Video : વરરાજા અને દુલ્હને કરેલા આ ડાન્સ પર્ફોર્મન્સને જોઇને તમારો દિવસ બની જશે

આ પણ વાંચો –

OMG ! ડોગની સાથે રમતા રમતા જંગલમાં પહોંચી ગયુ બાળક, 4 દિવસ બાદ આવી હાલતમાં મળી આવ્યુ

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">