Fact Check : કોરોના વેક્સિન લીધા બાદ શરીર પર ચોંટવા લાગે છે વસ્તુઓ, શું છે સત્ય ?
Fact Check : કોરોના સામેની મહામારી સામે એક માત્ર હથિયાર હોયતો તે છે કોરોના રસીકરણ. તો બીજી તરફ દેશમાં કોરોના વેક્સિનને લઈને અફવાઓ પણ વધી ગઈ છે.
Fact Check : કોરોના સામેની મહામારી સામે એક માત્ર હથિયાર હોય તો તે છે કોરોના રસીકરણ. ( Corona vaccination) દેશભરમાં 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ દેશમાં કોરોના વેક્સિનને લઈને અફવાઓ પણ વધી ગઈ છે.
હાલમાં એવી અફવા ઉડી રહી છે કે વેક્સીન લીધા બાદ શરીરમાં ચુંબકીય શક્તિ આવે છે. જેના કારણે શરીરમાં ચમચી,સિક્કા, મોબાઈલ ચોંટી જાય છે. આ પ્રકારના કેસ ગુજરાતમાં પણ સામે આવ્યા છે.
પરંતુ આ મામલે PIB દ્વારા FACT CHECK કરવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, આ પ્રકારની અફવાઓથી દૂર રહો અને કોરોના રસીથી કોઈ ચુંબકીય શક્તિ આવતી નથી. તેથી રસી અવશ્ય લો.
Several posts/videos claiming that #COVID19 #vaccines can make people magnetic are doing the rounds on social media. #PIBFactCheck:
✅COVID-19 vaccines do NOT make people magnetic and are completely SAFE
Register for #LargestVaccineDrive now and GET VACCINATED ‼️ pic.twitter.com/pqIFaq9Dyt
— PIB Fact Check (@PIBFactCheck) June 10, 2021
થોડા દિવસ પહેલા મીડિયા દ્વારા રસી ચુંબકીય શક્તિને લઈને ડેમો પણ કર્યો હતો. જેનું પરિણામ હેરાન કરનારું હતું. જે લોકોએ રસી લગાવી હતી અને જેઓએ રસી લગાવી ના હતી તેના શરીર પર સિક્કા સરળતાથી ચોંટી ગયા હતા. તો કોઈના શરીર ઉપર ચાવી પણ ચોંટી ગઈ હતી. પરંતુ જ્યારે શરીર લુછ્યું ત્યારે સિક્કા અને લોખંડની વસ્તુઓ નીચે પડવા લાગી હતી. આ બાદ ડોકટરોએ કહ્યું હતું કે જો આવી ચુંબકીય શક્તિ હોય તો સિક્કા પણ નીચે ના આવે. આ સાથે જ દાવો કરવામાં આવ્યો હતો કે આવું પરસેવાના કારણે થયું છે, તે સામાન્ય છે. આ તપાસમાં ચુંબકીય શક્તિનો દાવો ખોટો હોવાનું બહાર આવ્યું હતું ડોકટરોએ જણાવ્યું કે રસી મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે કોરોના સામે લડવાનો આ એકમાત્ર રસ્તો છે.