AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

83 વર્ષ પહેલા ભારતમાં કંઈક આ રીતે પાળવામાં આવતા હતા ચિત્તા! Viral Video જોઈ રહી જશો દંગ

શું તમે જાણો છો કે ભારત એક સમયે ચિત્તાઓનું ઘર હતું? સેંકડો વર્ષ પહેલાં દેશમાં લગભગ 10 હજાર ચિત્તા હતા, પરંતુ શિકારને કારણે તેમની સંખ્યા ધીમે ધીમે ઓછી થઈ અને પછી લુપ્ત થઈ ગઈ. આજકાલ ચિત્તા સાથે જોડાયેલો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Cheetah Viral Video)થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

83 વર્ષ પહેલા ભારતમાં કંઈક આ રીતે પાળવામાં આવતા હતા ચિત્તા! Viral Video જોઈ રહી જશો દંગ
Cheetah Viral VideoImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2022 | 3:19 PM
Share

આ સમયે દેશભરમાં ચિત્તા (Cheetah)ચર્ચાનો વિષય છે. તેનું કારણ એ છે કે નામીબીયાથી લાવવામાં આવી રહેલા આઠ ચિત્તા ભારત આવી ગયા છે. દેશમાં 70 વર્ષ બાદ ફરીથી ચિત્તા જોવા મળશે. તેઓ વર્ષ 1952 માં લુપ્ત થઈ ગયા. આ ચિત્તાઓ લગભગ 8 હજાર કિલોમીટરની મુસાફરી કરીને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક પહોંચ્યા છે. ત્રણ નર અને પાંચ માદા ચિત્તા છે, પરંતુ શું તમે જાણો છો કે ભારત એક સમયે ચિત્તાઓનું ઘર હતું? સેંકડો વર્ષ પહેલાં દેશમાં લગભગ 10 હજાર ચિત્તા હતા, પરંતુ શિકારને કારણે તેમની સંખ્યા ધીમે ધીમે ઓછી થઈ અને પછી લુપ્ત થઈ ગઈ. આજકાલ ચિત્તા સાથે જોડાયેલો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Cheetah Viral Video) થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

તમે ભાગ્યે જ જાણો છો કે દેશમાં ચિત્તા પણ પાળેલા હતા અને તેનો શિકાર માટે ઉપયોગ થતો હતો. વાસ્તવમાં, માણસો પહેલા ચિત્તાનો શિકાર કરતા હતા અને પછી તેમને પાળતા હતા. આ પછી તેનો ઉપયોગ વિવિધ પ્રકારના પ્રાણીઓનો શિકાર કરવા માટે થતો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે ચિત્તા ખાટલા પર બેઠા છે અને તેમના ગળામાં પટ્ટો બાંધ્યો છે. ત્યાં એક વ્યક્તિ પણ ઉભો છે, જે ચિતાને સ્નેહ કરતો જોવા મળે છે. આ પછી એવું જોવા મળે છે કે ચિત્તાઓને બળદગાડા દ્વારા જંગલમાં લઈ જવામાં આવે છે અને તેમને છોડી દેવામાં આવે છે. પછી ચિત્તા દોડીને અન્ય પ્રાણીઓનો શિકાર કરે છે.

આ વીડિયો IFS ઓફિસર પરવીન કાસવાને પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે, જેમાં પાલતુ ચિત્તાનો શિકાર કરતા જોઈ શકાય છે. આ વીડિયો વર્ષ 1939નો જણાવવામાં આવી રહ્યો છે.

બે મિનિટ 12 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 5 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક કરીને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. પરવીન કાસવાને કમેન્ટમાં એક અન્ય વીડિયો પણ શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે ચિત્તાએ હરણનો શિકાર કર્યો હશે અને લોકો તેના મોંમાંથી હરણ કાઢી લે છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">