જે મહાપ્રલયમાં ડાયનાસોરનું મટી ગયું નામ નિશાન તેમાં કેમ બચી ગયા મગરમચ્છ? જાણો અહીં
જે મહાપ્રલયમાં ડાયનાસોરનું નામો નિશાન મટી ગયું તેવામાં મગરો કેમ બચી ગયા? જવાબ જાણવાની કોશિશ કરતાં જાણવા મળ્યું કે અવકાશમાંથી એક ગ્રહ આશરે 6.6 કરોડ વર્ષ અગાઉ ડાયનાસોર પર ત્રાટક્યો હતો.
જે મહાપ્રલયમાં ડાયનાસોરનું નામો નિશાન મટી ગયું તેવામાં મગરો કેમ બચી ગયા? જવાબ જાણવાની કોશિશ કરતાં જાણવા મળ્યું કે અવકાશમાંથી એક ગ્રહ આશરે 6.6 કરોડ વર્ષ અગાઉ ડાયનાસોર પર ત્રાટક્યો હતો. તે જ સમયે, મગરો આ મોટી દુર્ઘટનાથી બચી ગયા હતા. આવું શા માટે બન્યું તે સંશોધનકારો ઘણા લાંબા સમયથી અભ્યાસ કરી રહ્યા છે પણ હવે તેનો જવાબ મળી ગયો છે. સંશોધનકારોના જણાવ્યા મુજબ, મગરો, ઝડપથી વિકાસ કરી પોતાને જમીન અને મહાસાગરોમાં રહેવા યોગ્ય બનાવી લીધા હતા.
હાર્વર્ડ યુનિવર્સિટીના ઓર્ગેનાઈઝેશનલ એન્ડ ઈવોલ્યુશન બાયોલોજીના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર સ્ટેફની પિયર્સના જણાવ્યા મુજબ પ્રાચીન મગર એક ચકચાર ભર્યા સ્વરૂપમાં આવ્યા હતા. તે પછી તે લગાતાર તેની જાતને વિકસિત કરી છે. જમીન પર ચાલવું, પાણીમાં તરવું, માછલી પકડવી અને છોડ ખાવાનું શીખ્યા. પિયર્સ મુજબ અમને અધ્યયનમાં જાણવા મળ્યું કે મગરોમાં જીવન જીવવાની આ બધી રીતો ખૂબ જ ઝડપથી વિકસિત થઈ છે.
200થી વધુ અવશેષોની કરી તપાસ આ અધ્યયનમાં બ્રિસ્ટોલ યુનિવર્સિટી અને હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધનકારોએ મગર અને તેમની લુપ્ત જાતિના અન્ય અવશેષોનો નજીકથી અભ્યાસ કર્યો હતો, જેમાં 200થી વધુ ખોપરી અને જડબાઓનો સમાવેશ થાય છે. જેમાં 23 કરોડ વર્ષ પહેલાના અવશેષો શામેલ હતા. સંશોધનકારોની ટીમે વિશ્લેષણ દરમિયાન શોધી કાઢ્યું હતું કે ખોપરી અને જડબાના આકારની તમામ જાતિઓ કેવી રીતે બદલતી હતી અને સમયની સાથે મગર જૂથોમાં ઝડપથી ફેરફાર થવા લાગ્યા હતા.
એક મીડિયા રિપોર્ટ અનુસાર અભ્યાસમાં બહાર આવ્યું છે કે કેટલાક લુપ્ત થયેલા મગર જૂથો લાખો વર્ષોમાં ખૂબ ઝડપથી વિકસિત થયા છે. આ પ્રજાતિઓએ તેમની ખોપરી અને જડબામાં મોટા ફેરફારો કર્યા, જે કેટલીક વખત સસ્તન જેવા બની ગયા. સંશોધનકારો કહે છે કે હાલના મગરો અને મગર છેલ્લા આઠ મિલિયન વર્ષોમાં સતત વિકસિત થયા છે. આજે મગરની લગભગ 26 પ્રજાતિઓ છે, જેમાંની મોટાભાગની સમાન દેખાય છે.
રહેણાંક અને ખોરાકની અસર સંશોધનકારો કહે છે કે વિકાસની ગતિ જીવતંત્રની રહેવાની જગ્યા અને ખાવાનાં કારણો પર ઘણું નિર્ભર છે. કંઈક એવું જ મગર સાથે થયું. જૈવવિવિધતા અનુસાર જીવવા અને ખાવા માટે તેઓ પોતાને અનુકૂળ થયા છે અને વિનાશ હોવા છતાં આજે પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે.
આ પણ વાંચો: IND vs ENG: ઋષભ પંતના ચોગ્ગાને લઈને વિવાદ સર્જાયો, કોમેન્ટેટર આકાશ ચોપડાએ તીખા તેવર સાથે કર્યા સવાલ