AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ઋષભ પંતના ચોગ્ગાને લઈને વિવાદ સર્જાયો, કોમેન્ટેટર આકાશ ચોપડાએ તીખા તેવર સાથે કર્યા સવાલ

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાયેલી બીજી વન ડે મેચમાં બોલ પંતના બેટથી વાગીને બાઉન્ડ્રી પાર ચાલ્યો ગયો હતો. ઋષભ પંત (Rishabh Pant)ના ચોગ્ગાએ હવે નવો વિવાદ સર્જી દીધો છે.

IND vs ENG: ઋષભ પંતના ચોગ્ગાને લઈને વિવાદ સર્જાયો, કોમેન્ટેટર આકાશ ચોપડાએ તીખા તેવર સાથે કર્યા સવાલ
Aakash Chopra-Rishabh Pant
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 27, 2021 | 9:30 PM
Share

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાયેલી બીજી વન ડે મેચમાં બોલ પંતના બેટથી વાગીને બાઉન્ડ્રી પાર ચાલ્યો ગયો હતો. ઋષભ પંત (Rishabh Pant)ના ચોગ્ગાએ હવે નવો વિવાદ સર્જી દીધો છે. LBWની અપીલ પર ગ્રાઉન્ડ અંપાયર દ્વારા આઉટ આપવાને લઈને તેમના ખાતામાં કોઈ જ રન ઉમેરવામાં આવ્યા નહોતા. ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટર આકાશ ચોપડા (Akash Chopra)એ ઋષભ પંત નોટ આઉટ હોવા બાદ પણ તેને ચાર રન નહીં આપતા નિરાશા દર્શાવી હતી. આકાશ ચોપડાએ ICCના ડેડ બોલના આ નિયમ પર સવાલ પૂછ્યો હતો. તેણે કહ્યુ હતુ કે, જો વિશ્વકપ ફાઈનલ મેચના અંતિમ બોલ પર કંઈક આવુ થયુ હોત તો પછી શું થયુ હોત.

આકાશે પંતને ચોગ્ગો નહીં આપવાને લઈને ટ્વીટ કરતા લખ્યુ હતુ કે તો પંતે અંપાયરિગની ભૂલને લઈને ચાર ગુમાવી દીધા. 101010364મી વખત રિપીટ કરીને શું થતુ જો આ વિશ્વકપની ફાઈનલ મેચનો અંતિમ બોલ હોત અને બેટીંગ ટીમને જીત માટે 2 રનની જરુરિયાત હોત તો? વિચારો વિચારો! ભારતીય ટીમની 40મી ઓવરમાં ટોમ કરનના આખરી બોલ પર પંતે રિવર્સ સ્કૂપ શોટ લગાવવા માટે કોશિષ કરી હતી. પરંતુ બોલ બેટનો સંપર્ક જ નહોતો થઈ શક્યો. ઈંગ્લેન્ડના તમામ ખેલાડીઓએ બોલ પેડ પર વાગ્યો હોવાનું ગણાવીને જોરદાર અપીલ કરી હતી.

ઓન ફિલ્ડ અંપાયરે પણ પંતને આઉટ જાહેર કરી દીધો હતો. જેના બાદ પંતે ડીઆરએસનો ઉપયોગ કર્યો હતો, જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ હતુ કે બોલ પંતના બેટને અડકીને બાઉન્ડ્રી પાર ચાલ્યો ગયો હતો. દરમ્યાન ગ્રાઉન્ડ અંપાયરના નિર્ણયને બદલતા પંતને નોટ આઉટ જાહેર કર્યો હતો. જોકે આમ છતાં પણ તે ચાર રન ક્રિકેટના નિયમોના મુજબ પંત તે ટીમના ખાતામાં ઉમેરાયા નહીં.

ક્રિકેટના નિયમો મુજબ જો એલબીડબલ્યુની અપીલ પર બેટ્સમેનને આઉટ આપવામાં આવે છે તો તે જ સમયે તે બોલને ડેડ માની લેવામાં આવે છે. તેમજ તેની પર કોઈ જ રન મળી શકતા નથી. થર્ડ અંપાયરનો નિર્ણય આવવા બાદ પણ તે બોલ પર બનેલા રન ના તો બેટ્સમેન કે ના તો ટીમના ખાતામાં જમા થાય છે. ઓન ફીલ્ડ અંપાયરના આઉટ આપવા બાદ તેનાથી કોઈ જ ફર્ક નથી પડતો કે બોલ ક્યાં ગયો હતો. આજ કારણથી પંતના બેટથી નિકળીને બાઉન્ડ્રી પાર બોલ જવા છતાં પણ ચાર રન નથી આપી શકાયા.

આ પણ વાંચો: IPL 2021: ખેલાડીઓએ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આ નિયમોનું પાલન કરવુ પડશે, BCCI દ્વારા બનાવાઈ ગાઈડલાઈન

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">