ક્યારે થાય છે પ્રલય ? ઉલ્કાપિંડ અને ધૂમકેતુ સાથે શું સબંધ છે મહાવિનાશનો ? નવા અભ્યાસમાં સામે આવી પેટર્ન
કયામત કે પ્રલય કોઈ ફિલ્મની કલાઈમેક્સ જેવુ લાગે છે. એક્સપર્ટનું માનવું છે કે વિજ્ઞાનના આધાર પર અનુમાન લગાવી શકે છે કે પ્રલય ક્યારે થઈ શકે છે?
ક્યારે થાય છે પ્રલય? ઉલ્કાપિંડ અને ધૂમકેતુ સાથે શું સબંધ છે મહાવિનાશનો? નવા અભ્યાસમાં આવી પેટર્ન
કયામત કે પ્રલય કોઈ ફિલ્મની કલાઈમેક્સ જેવુ લાગે છે પરંતુ વૈજ્ઞાનિક એક્સપર્ટનું માનવું છે કે વિજ્ઞાનના આધાર પર અનુમાન લગાવી શકે છે કે પ્રલય ક્યારે થઈ શકે છે?
સમગ્ર ધરતી પર અંધારપટ, આગ અને એસિડ વર્ષા.. જાણકારોનું માનવું છે કે પૃથ્વી પર હર 2.7 કરોડ વર્ષ બાદ વૈશ્વિક સ્તર પર વિનાશકારી ઘટનાઓ ઘટે છે. પરંતુ છેલ્લી આવી ઘટના 6.6 કરોડ વર્ષ પહેલા થઈ હતી જેમાં એક એસ્ટરોઇડ અથવા તો ધૂમકેતુ પડવાથી ડાયનૉસોર પૃથ્વી પરથી વિનાશ પામ્યા હતા.એવું માનવામાં આવે છે કે પ્રલય 3 કરોડ વર્ષ પાછળ છે. જાણકારોનું માનવું છે કે વિનાશકારી ઘટનાઓ જેવી કે ઉલ્કાપિંડનું પડવુ અથવા તો કોઈ વિસ્ફોટ થવો તે એક જ સાયકલમાં જ થતી ઘટનાઓ છે. નવા આંકડાકીય અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સમગ્ર જન જીવનને ખતમ કરી નાખતા ધૂમકેતુની વર્ષા દર 2.6 થી 3 કરોડ વર્ષે થાય છે જ્યારે તે ગેલેક્સી બાજુથી પસાર થાય છે.
એક સાથે આવશે આફત: વૈજ્ઞાનિકોને એ પણ જાણવા મળ્યુ છે કે જમીન અને પાણીમાં થતા વિનાશ ત્યારે જ થયા છે કે જ્યારે ધરતીની અંદરથી લાવા બાહર નીકળ્યો હોય છે. આ જ કારણે પુષ્કળ માત્રામાં ગ્રીનહાઉસ ગેસ ઉત્તપન થાય છે અને મહાસાગરોમાં ઑક્સીજન કમ પડી જાય છે. જાણકારોનું કહેવું છે કે જે રીતે આકાશગંગામાં ગ્રહો પરિક્રમા કરે છે તેમાંથી પણ ખતરો નક્કી થાય છે. ન્યુયોર્ક યુનિવર્સિટીના પ્રોફેસર અને અભ્યાસના લેખક માયકલ રેમ્પી નું કહેવુ છે કે એવું લાગે છે મહાકાય પદાર્થો અને જમીનની અંદર થતી ગતિવિધિ જેમાંથી એમ થાય કે લાવા નીકળી શકે છે, તે 2.7 કરોડ વર્ષના અંતર પર થતા વિનાશકરી ઘટનાઓ સાથે હોય શકે છે.
વિશાળ જ્વાળામુખી અને ધૂમકેથી ટક્કર તેને એ પણ જણાવ્યું પાછલી ત્રણ વિનાશકરી ઘટનાઓ ત્યારે થઈ હતી જ્યારે 25 કરોડ વર્ષ પહેલા સૌથી મોટા ઇમ્પેક્ટ જોવા મળ્યા હતા. આ તમામ પરિબળો વૈશ્વિક આપત્તિ અને સામૂહિક વિનાશનું કારણ બનવા સક્ષમ છે. એવુ માનવામાં આવે છે કે આ તમામ વૈશ્વિક આપત્તિઓ અને સામૂહિક મહાવિનાશની ઘટનાઓ આવી ટક્કરો અને જ્વાળામુખી ફાટવાના કારણે થાય હશે. આવી તમ ઘટનાઓનો ઉલ્લેખ હિસ્ટોરિકલ અને બાયોલોજિકલ પત્રોમાં પ્રસિદ્ધ થાયા છે.
આ પણ વાંચો: Panchak: શું છે પંચક? જાણો પંચકનું મહત્વ અને તેના પ્રકાર