AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp Trick : વોટ્સએપ પર ઓનલાઇન આવ્યા વગર પણ કરી શકશો ચેટ, બસ ફોલો કરો આ સ્ટેપ્સ

તમે ઓનલાઇન નથી દેખાવા માંગતા, પરંતુ તમારે કોઇ મેસેજ કરવો હોય છે તો તે કરવુ પણ શક્ય છે. તમે વોટ્સએપ પર ઓનલાઇન આવ્યા વગર પણ મેસેજ મોકલી શકો છો.

WhatsApp Trick : વોટ્સએપ પર ઓનલાઇન આવ્યા વગર પણ કરી શકશો ચેટ, બસ ફોલો કરો આ સ્ટેપ્સ
You can chat without being online on WhatsApp
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 2:15 PM
Share

વોટ્સએપનો ઉપયોગ તો વિશ્વના મોટાભાગના દેશ કરે જ છે. કોલ કરવો હોય, વીડિયો કોલ કરવા હોય, ચેટ કરવી હોય કે કોઇ તસવીર કે વીડિયો મોકલવો હોય દરેક લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. વોટ્સએપ પણ તેના યૂઝર્સ માટે નવા નવા ફિચર લઇને આવે છે. વોટ્સએપના કેટલાક ફિચર્સ તો એવા છે જેના વિશે લોકોને જાણકારી પણ નથી. બસ અમે આવા જ ફિચર્સ વિશેની માહિતી તમારા માટે લઇને આવીએ છીએ.

ઘણી વખત એવુ બનતુ હોય છે કે તમે ઓનલાઇન નથી દેખાવા માંગતા પરંતુ તમારે કોઇ મેસેજ કરવો હોય છે. તો તે કરવુ પણ શક્ય છે. તમે વોટ્સએપ પર ઓનલાઇન આવ્યા વગર પણ મેસેજ મોકલી શકો છો. તમે આ સ્ટેપ્સને ફોલો કરીને ઓનલાઇન આવ્યા વગર પણ ચેટ કરી શકો છો.

લોકો ઇચ્છતા હોય છે કે કોઇ તેમને ઓનલાઇન ન જોઇ જાય તેના માટે તેઓ ઓનલાઇન સ્ટેટસ પણ હાઇડ કરતા હોય છે. પરંતુ તેના માટે કોઇ ઓફિશિયલ ફિચર કે સેટિંગ આપવામાં નથી આવ્યુ. પરંતુ એક ટ્રીકના ઉપયોગથી તમે આમ કરી શકો છો.

1. આના માટેનો સૌથી સરળ ઉપાય છે કે તમે વોટ્સએપ પર કોઇ મેસેજને ઓપન કર્યા વગર નોટીફિકેશન પેનલમાંથી તે મેસેજનો રિપ્લાય કરી શકો છો. આમ કરવાથી સામે વાળા યૂઝરને તમારા ઓનલાઇન સ્ટેટસ વિશે ખબર નહી પડે.

2. જો તમે સ્માર્ટવોચ પહેરો છો તો પણ તમે ઓનલાઇન આવ્યા વગર ચેટ કરી શકો છો. આ માટે તમે વોટ્સએપ મેસેજનો જવાબ સ્માર્ટ વોચમાંથી આપો. આમ કરવાથી પણ યૂઝરના ઓનલાઇન સ્ટેટસ વિશે ખબર નથી પડતી.

3. વોટ્સએપ પરથી મેસેજ સેન્ડ કરતી વખતે જો ડેટા ઓફ હશે તો ઓનલાઇન સ્ટેટસ વિશે ખબર નહી પડે. એટલે કે તમે ફોનના ડેટા અથવા તો વાઇફાઇ ઓફ કરીને વોટ્સએપ ઓપન કરીને રિપ્લાઇ કરશો તો પણ તમારુ ઓનલાઇન સ્ટેટસ નહી દેખાય. એક વાર ફરીથી ડેટા ઓન કર્યા બાદ મેસેજ સેન્ડ થઇ જશે અને તમારુ સ્ટેટસ ઓનલાઇન પણ નહી બતાવે.

આ પણ વાંચો – જલ્દી જ બદલાઈ જશે તમારા ઘરનું વીજમીટર, જાણો નવું વીજળી મીટર કેવું હશે અને તમારા ઘરે ક્યારે લાગશે

આ પણ વાંચો – Maharashtra : રેલવે વિભાગની મુહિમ, ઘરેથી ભાગી ગયેલા બાળકોને કાઉન્સલિંગ બાદ પરિવાર સાથે મોકલ્યા, જાણો કેટલા બાળકોનું કર્યું રેસ્કયૂ

આ પણ વાંચો – PM Modi Inaugurates projects in Somnath LIVE: આતંકથી આસ્થાનો અંત ના આવી શકે, સત્યને અસત્યથી હરાવી ના શકાય, અતીતના ખંડેરો પર આધુનિક નિર્માણનુ સર્જન કરાયુ છેઃ નરેન્દ્ર મોદી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">