AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech News: મોંઘા થઈ શકે છે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ, જાણો શું છે કારણ

ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (IDC)ના રિસર્ચ ડાયરેક્ટર નવકેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, ભારતમાં ઈલેક્ટ્રોનિક ઘટકોનો 20 થી 50 ટકા પુરવઠો ચીનના શેનઝેનથી આવે છે. તેમણે કહ્યું કે જો કોરોના સંક્રમણ અને લોકડાઉન જેવી સ્થિતિ ફરી ઉભી થશે તો ચોક્કસ તેની અસર તમામ પ્રકારના ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો પર જોવા મળશે.

Tech News: મોંઘા થઈ શકે છે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ, જાણો શું છે કારણ
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 10:07 AM
Share

થોડો સમય શાંત રહ્યા બાદ કોરોના વાયરસે ફરી માથું ઊંચકવાનું શરૂ કર્યું છે. કોરોના (Corona Case)ના ફરી વધી રહેલા કેસની સીધી અસર સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી, લેપટોપ જેવા ઈલેક્ટ્રોનિક સામાનની કિંમતો પર જોવા મળી શકે છે. કોરોના સંક્રમણને કારણે ચીનના ઘણા શહેરોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ચીનના ટેક હબ શેનઝેન (China’s Shenzhen)પ્રદેશમાં કોરોનાવાયરસના કેસોમાં નવા ઉછાળાને પગલે લોકડાઉનથી ટીવી, લેપટોપ અને સ્માર્ટફોનના ભાવમાં વધારો કરી શકે છે, કારણ કે આ પ્રદેશ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો(Electronics Products)ના વિશ્વના સૌથી મોટા સપ્લાયરોમાંનો એક છે.

ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (IDC)ના રિસર્ચ ડાયરેક્ટર નવકેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, ભારતમાં ઈલેક્ટ્રોનિક ઘટકોનો 20 થી 50 ટકા પુરવઠો ચીનના શેનઝેનથી આવે છે. તેમણે કહ્યું કે જો કોરોના સંક્રમણ અને લોકડાઉન જેવી સ્થિતિ ફરી ઉભી થશે તો ચોક્કસ તેની અસર તમામ પ્રકારના ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો પર જોવા મળશે. ઉત્પાદનોની કિંમત વધી રહી છે અને વધતી કિંમતોનો બોજ સીધો ગ્રાહકો પર પડશે.

નવકેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે જો શેનઝેન શહેરમાં લોકડાઉન ત્રણ અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી ચાલે છે, તો તે જૂન ક્વાર્ટર તેમજ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સ્માર્ટફોન અને પર્સનલ કમ્પ્યુટર્સના શિપમેન્ટને અસર કરશે.

લોકડાઉનની અસર

કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ(Counterpoint Research)ના રિસર્ચ ડિરેક્ટર તરુણ પાઠકે કહ્યું છે કે જો લોકડાઉન 20 માર્ચથી વધુ લંબાશે તો કિંમતો વધવા લાગશે. સ્માર્ટફોનના ભાવમાં 5-7 ટકાનો વધારો થઈ શકે છે.

નિષ્ણાતો કહે છે કે છેલ્લા એક વર્ષમાં ઉત્પાદનોની કિંમતો અને નૂર દરમાં વધારો થયો છે, જેનો અર્થ છે કે મોટાભાગની બ્રાન્ડ્સ નવાના ખર્ચના દબાણને સહન કરી શકશે નહીં અને તેઓ આ દબાણને ગ્રાહકો પર પહોંચાડશે. નિષ્ણાતોનું કહેવું છે કે જો કોરોના સંક્રમણ વધુ વધશે તો તેની અસર ગ્રાહકો સુધી પહોંચશે. કારણ કે કંપનીઓ પહેલેથી જ વધતી મોંઘવારીના દબાણ હેઠળ છે.

સામગ્રી મોંઘી થઈ શકે છે

ગ્રેહાઉન્ડ રિસર્ચના મુખ્ય વિશ્લેષક સંચિત વીર ગોગિયાના જણાવ્યા અનુસાર, લોકડાઉન કેટલો સમય ચાલે છે તેના પર કિંમતની અસરની હદ નિર્ભર રહેશે. તેમણે કહ્યું કે જો આગામી ક્વાર્ટર સુધીમાં આ સમસ્યાનું નિરાકરણ આવી જાય તો આશરે 10-15% વૃદ્ધિની અપેક્ષા રાખી શકાય છે. વિશ્લેષકોનું કહેવું છે કે એપલને બાદ કરતાં મોટાભાગની સ્માર્ટફોન બ્રાન્ડ 2-3%ના નજીવા નફા પર કામ કરે છે.

Daiwa બ્રાન્ડ હેઠળની ટેલિવિઝન નિર્માતા, Videotex Internationalના ડિરેક્ટર અર્જુન બજાજ કહે છે કે હાઈ-ઈમ્પેક્ટ પોલિસ્ટરીન (HIPS), એક્રેલોનિટ્રાઈલ બ્યુટાડીન સ્ટાયરીન (ABS) અને કોપર જેવા કાચા માલના ભાવમાં વધારો થયો છે. HIPS અને ABS નો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ હાઉસિંગ માટે થાય છે. રુસો-યુક્રેન યુદ્ધે સેમિકન્ડક્ટર સપ્લાયના બે મહત્વપૂર્ણ ઘટકો નિયોન અને પેલેડિયમના ભાવમાં પણ વધારો કર્યો છે.

આ પણ વાંચો: દુનિયાની પહેલી ટ્રેન, જે ડીઝલ પેટ્રોલ કે વીજળીથી નહીં પૃથ્વીની શક્તિથી ચાલશે, જાણો ખાસિયત

આ પણ વાંચો: MOP ની સપ્લાય માટે ભારતે ઈઝરાયલ સાથે કરી સમજૂતી, ખેડૂતોને થશે આ ફાયદો

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">