AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

QR Code Fraud: જો તમે પેમેન્ટ માટે QR Code નો ઉપયોગ કરો છો તો રહો સાવધાન, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ અને બચવા માટે શું ધ્યાન રાખવું

હાલમાં QR કોડ સંબંધિત ફ્રોડના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. લોકો જ્યારે કોઈ વસ્તુનું વેચાણ કરે છે ત્યારે તેને પેમેન્ટ સ્વિકારવાનું હોય છે. ત્યારે રૂપિયાની ચુકવણી કરવા દરમિયાન સ્કેમર્સ આવા લોકોને એક QR કોડ મોકલે છે અને તેને સ્કેન કરવાનું કહે છે. તેઓ એવું કહે છે કે તેનાથી તમને તમારા રૂપિયા મળી જશે. ત્યારબાદ જ્યારે આ QR કોડ સ્કેન કરવામાં આવે ત્યારે બેંક ખાતામાંથી રૂપિયા ડેબિટ થઈ જાય છે.

QR Code Fraud: જો તમે પેમેન્ટ માટે QR Code નો ઉપયોગ કરો છો તો રહો સાવધાન, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ અને બચવા માટે શું ધ્યાન રાખવું
QR Code Fraud
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2023 | 1:40 PM
Share

દુનિયા હવે ડિજિટલ થઈ રહી છે અને લોકોના ઘણા બધા કામ ઓનલાઈન થઈ રહ્યા છે, પરંતુ તેના સાથે સાયબર ક્રાઈમના (Cyber Crime) કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. છેતરપિંડી કરનારા લોકો અલગ-અલગ પદ્ધતિઓથી લોકો સાથે ફ્રોડ કરી રહી છે. આજે આપણે જાણીશું કે QR Code દ્વારા (QR Code Fraud) કેવી રીતે છેતરપિંડી થઈ રહી છે. આ ઉપરાંત આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

સ્કેમર્સ લોકોને એક QR કોડ મોકલે છે

હાલમાં QR કોડ સંબંધિત ફ્રોડના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. લોકો જ્યારે કોઈ વસ્તુનું વેચાણ કરે છે ત્યારે તેને પેમેન્ટ સ્વિકારવાનું હોય છે. ત્યારે રૂપિયાની ચુકવણી કરવા દરમિયાન સ્કેમર્સ આવા લોકોને એક QR કોડ મોકલે છે અને તેને સ્કેન કરવાનું કહે છે. તેઓ એવું કહે છે કે તેનાથી તમને તમારા રૂપિયા મળી જશે. ત્યારબાદ જ્યારે આ QR કોડ સ્કેન કરવામાં આવે ત્યારે બેંક ખાતામાંથી રૂપિયા ડેબિટ થઈ જાય છે.

UPI પેમેન્ટ દ્વારા ટ્રાન્ઝેક્શન કરવું ખૂબ જ સરળ

QR કોડથી ફ્રોડ કરવાની આ નવી પદ્ધતિ દ્વારા લોકો સાથે છેતરપિંડીના આ પ્રકારના ઘણા કિસ્સાઓ બની રહ્યા છે. UPI પેમેન્ટ દ્વારા ટ્રાન્ઝેક્શન કરવું ખૂબ જ સરળ બની ગયું છે. લોકો રોજબરોજની નાની-મોટી રકમની ચૂકવણી તેના દ્વારા કરે છે. આ સાથે જ સાયબર ક્રાઈમના બનાવોમાં પણ વધારો થયો છે.

QR કોડ ફ્રોડ કેવી રીતે થાય છે?

QR કોડ ફ્રોડમાં ઠગ્સ લોકોને એક QR કોડ મોકલે છે જે બરાબર લાગે છે. તેના દ્વારા લોકો સાથે વિશ્વાસ કેળવીને QR કોડ સ્કેન કરીને પૈસા ટ્રાન્સફર કરવાનું કહે છે. ત્યાબાદ સ્કેમર્સ QR કોડ સ્કેન કરી અને રૂપિયા મેળવવા માટે રકમ દાખલ કરવાનું કહે છે. આ પછી લોકોને OTP દાખલ કરવા માટે કહેવામાં આવે છે. અહીં મહત્વની વાત એ છે કે QR કોડનો ઉપયોગ માત્ર પૈસા મોકલવા માટે થાય છે.

કોઈ પણ રકમ મેળવવા માટે QR કોડ સ્કેન કરવાની જરૂરિયાત રહેતી નથી. લોકો જ્યારે કોઈનો QR કોડ સ્કેન કરે છે, ત્યારે તેમને લાગે છે કે તેમને પૈસા મળી રહ્યા છે. પરંતુ, ખરેખર રૂપિયા મોકલનારના ખાતામાંથી સ્કેમર્સના ખાતામાંથી ટ્રાન્સફર થઈ જાય છે.

આ પણ વાંચો : OLX Fraud: OLX પર સામાન ખરીદવાના બહાને છેતરપિંડી, વિશ્વાસ જીતવા પહેલા મોકલે છે 100 રૂપિયા, પછી હજારો રૂપિયાની કરે છે છેતરપિંડી

આ બાબતોનું રાખો ધ્યાન

1. UPI ID અથવા બેંક વિગતો કોઈપણ અજાણી વ્યક્તિ સાથે શેર કરશો નહીં.

2. જો શક્ય હોય તો ઓનલાઈન સાઈટ પર COD નો વિકલ્પ પસંદ કરો.

3. કોઈ પણ પેમેન્ટ મેળવવા માટે ક્યારેય QR કોડ સ્કેન કરશો નહીં.

4. નાણા મોકલતી વખતે પણ QR કોડની વિગતોને ક્રોસ ચેક કરો.

5. કોઈપણ અજાણી વ્યક્તિ સાથે વ્યવહાર કરતા પહેલા તેમની વિગતો ચકાસો.

તમારી બેંકની વિગતો, OTP, પાસવર્ડ, પીન કે કાર્ડ નંબર આપશો નહીં. ફ્રોડ થાય તો ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">