AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KYC Fraud: KYC કરવાના બહાને છેતરપિંડી, જાણો ફ્રોડથી બચવા શું સાવધાની રાખવી, જુઓ Video

લગભગ બધી જ બેંક ગ્રાહકોને ચેતવણી આપી રહી છે અને ફોન પર માહિતી ન આપવાની અપીલ કરી રહી છે. પરંતુ ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. છેતરપિંડી કરનારાઓ તેની પદ્ધતિ બદલી રહ્યા છે અને લોકોને પોતાની જાળમાં ફસાવે છે. તમારે આ બાબતે જાગૃત રહેવું જોઈએ.

KYC Fraud: KYC કરવાના બહાને છેતરપિંડી, જાણો ફ્રોડથી બચવા શું સાવધાની રાખવી, જુઓ Video
KYC Fraud
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2023 | 12:57 PM
Share

આજકાલ KYC ના નામે છેતરપિંડી થઈ રહી છે. છેતરપિંડી કરનારાઓ તમને ફોન પર કહે છે કે તમારા બેંક ખાતામાં KYC થયેલું નથી અને તે ટૂંક સમયમાં બંધ થઈ જશે. જો તમે તેને ફરીથી શરૂ કરવા માંગો છો, તો તરત જ આધારની વિગતો અને બેંક ખાતાની વિગતો આપો. લોકો એકાઉન્ટ બંધ થવાના ડરને કારણે KYC ની વિગતો આપે છે.

છેતરપિંડી કરનારાઓ તેની પદ્ધતિ બદલી રહ્યા છે

લગભગ બધી જ બેંક ગ્રાહકોને ચેતવણી આપી રહી છે અને ફોન પર માહિતી ન આપવાની અપીલ કરી રહી છે. પરંતુ ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. છેતરપિંડી કરનારાઓ તેની પદ્ધતિ બદલી રહ્યા છે અને લોકોને પોતાની જાળમાં ફસાવે છે. તમારે આ બાબતે જાગૃત રહેવું જોઈએ અને તેનાથી બચવું જોઈએ. આ પ્રકારની છેતરપિંડી મેસેજ દ્વારા પણ કરવામાં આવી રહી છે.

છેતરપિંડી કરનાર બેંક કર્મચારી હોવાનું કહે છે

RBI અનુસાર, આ પ્રકારની છેતરપિંડી કરનાર બેંકનો કર્મચારી હોવાનું કહે છે અને તમારી પાસેથી માહિતી મેળવે છે. છેતરપિંડી કરનારાઓ પોતે ઈ-વોલેટ પ્રોવાઈડર અથવા ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર હોવાનું પણ કહી શકે છે. તેઓ દ્વારા બેંક ખાતામાંથી છેતરપિંડી કરીને પૈસા ઉપાડી લેવામાં આવે છે. જો તમારી સાથે આવી કોઈ ઘટના બને તો તરત જ ફરિયાદ નોંધાવવી જોઈએ.

ફરિયાદ કેવી રીતે નોંધાવવી

1. જો કોઈ ફોન કોલ કે મેસેજ આવે તો તેનો મોબાઈલ નંબર સેવ કરીને રાખો.

2. આવા મેસેજ અથવા મેઇલનો સ્ક્રીનશોટ લો.

3. આ સ્ક્રીનશોટ અને બેંક ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ મેળવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો.

4. આ તમામ દસ્તાવેજો અને ફોર્મની સોફ્ટ કોપી પણ રાખો.

આ પણ વાંચો : Cyber Crime: સાયબર ક્રાઈમ અંગેની ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી? જાણો તમામ વિગતો

ફ્રોડથી બચવા શું સાવધાની રાખવી

1. કોઈપણ અજાણ્યા ફોન કોલ્સ, ઈમેલ અને SMS થી સાવધાન રહો.

2. તમારા બેંક ખાતા સાથે સંબંધિત વિગતો ફોન પર કોઈપણ વ્યક્તિને આપશો નહીં.

3. કોઈપણ ઈન્ટરનેટ ફોર્મ પર બેંક ખાતાની વિગતો ભરશો નહીં. તમારી માહિતી ચોરાઈ શકે છે.

4. શંકાસ્પદ ઈમેઈલ અથવા મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરશો નહીં.

5. કોઈપણ QR કોડ સ્કેન કરશો નહીં, તેનાથી તમારા ખાતામાંથી રૂપિયા ઉપડી શકે છે.

6. તમારો બેંક પાસવર્ડ કે OTP કોઈની સાથે શેર કરશો નહીં.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
g clip-path="url(#clip0_868_265)">