AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KYC Fraud: KYC કરવાના બહાને છેતરપિંડી, જાણો ફ્રોડથી બચવા શું સાવધાની રાખવી, જુઓ Video

લગભગ બધી જ બેંક ગ્રાહકોને ચેતવણી આપી રહી છે અને ફોન પર માહિતી ન આપવાની અપીલ કરી રહી છે. પરંતુ ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. છેતરપિંડી કરનારાઓ તેની પદ્ધતિ બદલી રહ્યા છે અને લોકોને પોતાની જાળમાં ફસાવે છે. તમારે આ બાબતે જાગૃત રહેવું જોઈએ.

KYC Fraud: KYC કરવાના બહાને છેતરપિંડી, જાણો ફ્રોડથી બચવા શું સાવધાની રાખવી, જુઓ Video
KYC Fraud
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2023 | 12:57 PM
Share

આજકાલ KYC ના નામે છેતરપિંડી થઈ રહી છે. છેતરપિંડી કરનારાઓ તમને ફોન પર કહે છે કે તમારા બેંક ખાતામાં KYC થયેલું નથી અને તે ટૂંક સમયમાં બંધ થઈ જશે. જો તમે તેને ફરીથી શરૂ કરવા માંગો છો, તો તરત જ આધારની વિગતો અને બેંક ખાતાની વિગતો આપો. લોકો એકાઉન્ટ બંધ થવાના ડરને કારણે KYC ની વિગતો આપે છે.

છેતરપિંડી કરનારાઓ તેની પદ્ધતિ બદલી રહ્યા છે

લગભગ બધી જ બેંક ગ્રાહકોને ચેતવણી આપી રહી છે અને ફોન પર માહિતી ન આપવાની અપીલ કરી રહી છે. પરંતુ ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. છેતરપિંડી કરનારાઓ તેની પદ્ધતિ બદલી રહ્યા છે અને લોકોને પોતાની જાળમાં ફસાવે છે. તમારે આ બાબતે જાગૃત રહેવું જોઈએ અને તેનાથી બચવું જોઈએ. આ પ્રકારની છેતરપિંડી મેસેજ દ્વારા પણ કરવામાં આવી રહી છે.

છેતરપિંડી કરનાર બેંક કર્મચારી હોવાનું કહે છે

RBI અનુસાર, આ પ્રકારની છેતરપિંડી કરનાર બેંકનો કર્મચારી હોવાનું કહે છે અને તમારી પાસેથી માહિતી મેળવે છે. છેતરપિંડી કરનારાઓ પોતે ઈ-વોલેટ પ્રોવાઈડર અથવા ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર હોવાનું પણ કહી શકે છે. તેઓ દ્વારા બેંક ખાતામાંથી છેતરપિંડી કરીને પૈસા ઉપાડી લેવામાં આવે છે. જો તમારી સાથે આવી કોઈ ઘટના બને તો તરત જ ફરિયાદ નોંધાવવી જોઈએ.

ફરિયાદ કેવી રીતે નોંધાવવી

1. જો કોઈ ફોન કોલ કે મેસેજ આવે તો તેનો મોબાઈલ નંબર સેવ કરીને રાખો.

2. આવા મેસેજ અથવા મેઇલનો સ્ક્રીનશોટ લો.

3. આ સ્ક્રીનશોટ અને બેંક ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ મેળવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો.

4. આ તમામ દસ્તાવેજો અને ફોર્મની સોફ્ટ કોપી પણ રાખો.

આ પણ વાંચો : Cyber Crime: સાયબર ક્રાઈમ અંગેની ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી? જાણો તમામ વિગતો

ફ્રોડથી બચવા શું સાવધાની રાખવી

1. કોઈપણ અજાણ્યા ફોન કોલ્સ, ઈમેલ અને SMS થી સાવધાન રહો.

2. તમારા બેંક ખાતા સાથે સંબંધિત વિગતો ફોન પર કોઈપણ વ્યક્તિને આપશો નહીં.

3. કોઈપણ ઈન્ટરનેટ ફોર્મ પર બેંક ખાતાની વિગતો ભરશો નહીં. તમારી માહિતી ચોરાઈ શકે છે.

4. શંકાસ્પદ ઈમેઈલ અથવા મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરશો નહીં.

5. કોઈપણ QR કોડ સ્કેન કરશો નહીં, તેનાથી તમારા ખાતામાંથી રૂપિયા ઉપડી શકે છે.

6. તમારો બેંક પાસવર્ડ કે OTP કોઈની સાથે શેર કરશો નહીં.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">